(પ્રશાંત જયસ્વાલ/ વિશાલ જયસ્વાલ)
હળવદ,તા.12
કચ્છનું નાનું રણ 5 હજાર ચોરસ કિલોમીટરમાં પથરાયેલું છે સરકાર દ્વારા ઘુડખર અભ્યારણ તરીકે આરક્ષિત કરવામાં આવ્યું છે. આ અભ્યારણમાં લુપ્ત થતા વન્યજીવો તેમજ આયાવર પક્ષીનું કેન્દ્રસ્થાન ગણાય છે કારણકે રણમાં તેઓ સુરક્ષિત મહેસૂસ કરે છે અને રણની તાસીર જોઈએ તો ચોમાસામાં છીછરો સાગર બને છે શિયાળાની શરૂઆત થતાં જ વિદેશી પક્ષીઓને મહેમાન બને છે અને જેમ જેમ પાણી ઘટે તેમ તેમ અગરીયાઓ પડાવ નાખી મીઠું પકવીને રોજગારી મેળવે છે એટલે મીઠા ઉદ્યોગ માટે ખૂબ જ જાણીતું છે.
મોરબી જિલ્લામાં કચ્છના નાના રણ સેન્સેટીવ ઝોનમાં અભ્યારણ વિસ્તારની નજીક એરિયામાં ડેવલપમેન્ટ દ્રષ્ટીએ તેમજ ટુરીઝમના કઈ રીતે વિકસાવી શકાય તે માટે હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય રૂબરૂ રણની આસપાસના સ્થળોની મુલાકાત લીધી હતી તે દરમિયાન અગરીયાઓની સ્થિતિ અને મીઠું ઉત્પાદન કેવી રીતે થાય તે ઝીણવટથી જાણ્યું હતું દરમિયાન વધુમાં જણાવ્યું હતું કે આ વિસ્તારને હજુ પણ વધુ ડેવલપમેન્ટની જરૂર હોવાથી આવનારા દિવસોમાં સમગ્ર ઝાલાવાડ વિસ્તારમાં ટુરીઝમ કેમ વધુ વિકસાવી શકાય અને હળવદ ધાંગધ્રા વિસ્તારમાં ઘણા બધા પ્રવાસ સ્થળો આવેલા છે જેને એક ચેનમાં જોડવામાં આવે તો તેનો સમગ્ર વિસ્તારનો ટુરીઝમ દ્રષ્ટિએ ખૂબ જ મોટો વિકાસ થઈ શકે એમ છે તદુપરાંત મીઠું પકવતા અગરિયાઓને આર્થિક રીતે કઈ રીતે વધુ લાભ મળે અને તેના ભવિષ્યમાં નાણાકીય યોજનાઓથી લઈને કઈ રીતે વધુ મદદ થઈ શકે તે માટે રૂબરૂ વિસ્તારમાં મુલાકાત લીધી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy