વિદેશ મંત્રી એસ. જયશંકર તા.2ના રાજકોટમાં: પ્રબુધ્ધ નાગરિક માટે ‘ભારત ભાગ્ય વિધાતા’ પર સંવાદ કરશે

Local | Rajkot | 29 March, 2024 | 04:50 PM
દેશના બીજા કેરીયર ડીપ્લોમેટીક વિદેશ મંત્રી તરીકે વિશ્વભરમાં ઓળખ બનાવનાર અને વિદેશનીતિમાં મહત્વની ભૂમિકા ભજવનાર એસ. જયશંકરના સંવાદમાં હાજર રહેવા આમંત્રણ
સાંજ સમાચાર

રાજકોટ, તા.29

મોદી સરકાર દ્વારા દેશની વિદેશ નીતિને અપાયેલી એક નવી ઓળખમાં શિલ્પી જેવી ભૂમિકા ભજવનાર પૂર્વ વિદેશ સચિવ અને વર્તમાન વિદેશ રાજ્યમંત્રી ડો. સુબ્રહ્મણ્યમ જયશંકર આગામી તા.2 એપ્રિલના રાજકોટના મહેમાન બની રહ્યા છે અને પ્રબુધ નાગરિકો સાથે તેઓ ‘ભારત ભાગ્ય વિધાતા’ પર સંવાદ કરશે. રાષ્ટ્રીય એકતા મંચ રાજકોટ મારફત આ કાર્યક્રમનું આયોજન થયું છે અને તેના નિમંત્રણો પહોંચાડવામાં આવી રહ્યા છે. તા.2 એપ્રિલના સવારે 9-30 કલાકે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ રૈયા રોડ ખાતે આયોજીત આ કાર્યક્રમની જે થીમ છે તે ‘ભારત ભાગ્ય વિધાતા’ 2022માં મોદી સરકાર દ્વારા દેશના વિવિધ સંસ્કૃતિઓ અને વૈવિધ્યતાભરી ઓળખ છે તેને એક છત્ર હેઠળ લાવવા અને દેશ-વિદેશના લોકોને આ સંસ્કૃતિ અંગે માહિતગાર કરવા અને તે રીતે વસુધેવ કુટુંબ કમના ભારતનો જે વૈશ્વિક મંત્ર છે તેને ગુંજતો કરવા આ એક આયોજન દેશના અલગ-અલગ ભાગોમાં થઇ રહ્યું છે અને વિદેશ મંત્રી એસ.જયશંકર તેમાં રાજકોટના પ્રબુધ્ધ નાગરિકો સાથે સંવાદ કરશે. 

ગુજરાતમાંથી રાજ્યસભામાં ચૂંટાયેલા એસ. જયશંકરની દેશ-વિદેશમાં એક ડીપ્લોમેન્ટ તરીકેની ખાસ ઓળખ બની છે. દેશના બીજા કેરીયર ડીપ્લોમેન્ટ કે જે વિદેશમંત્રી બન્યા છે તે બહુમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રી એસ. જયશંકરને આપ્યું છે. 1977માં ઇન્ડીયન ફોરેન સર્વિસ (આઇએફએસ)માં પ્રવેશ લીધા બાદ તેઓએ પોતાની રાજદ્વારી કુનેહથી અનેક મિશનોમાં કામ કર્યું છે. ખાસ કરીને તેઓ ચીન અને અમેરિકા ખાતે ભારતના રાજદૂત તરીકેની કરેલી કામગીરી પ્રશંસનીય રહી છે અને અમેરિકા સાથેની શાંતિના હેતુ માટેની અણુ સમજૂતીમાં પણ તેમની મોટી ભૂમિકા રહી છે. જ્યારે મોદી સરકારમાં વિદેશ મંત્રી બન્યા બાદ ભારતની જે સ્વતંત્ર વિદેશ નીતિ છે તેને તેઓએ ઓળખ આપી છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૈશ્ર્વિક નેતા તરીકે સ્થાપિત થયા તેમાં પણ એસ. જયશંકરનું યોગદાન મહત્વનું રહ્યું છે. અને એક તરફ બેબાક ભાષામાં ચીન અને અમેરિકાને પણ સાચી વાત કહેવાની હિંમત રાખનાર ડીપ્લોમેટ તરીકે તેમની ઓળખ બની છે. શ્રી એસ. જયશંકરએ વિવિધ દેશો સાથે ભારતના સંબંધોમાં નવો યુગ આવ્યો છે તેમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર સાથે કામ કરીને સફળતા અપાવી છે. આમ એક કુશળ ડીપ્લોમેટ તરીકે નામના મેળવનાર એસ. જયશંકર રાજકોટ આવી રહ્યા છે તે રાજકોટના પ્રબુધ્ધ નાગરિકો માટે તેમને સાંભળવા એક અવસર છે અને તેનો લાભ લેવા રાષ્ટ્રીય એકતા મંચના શ્રી શૈલેષભાઇ જાની, અજયભાઇ જોષી, હિરેન કાવઠીયા, નંદલાલભાઇ માંડવીયા, ડી.વી. મહેતા, મનોજભાઇ કલ્યાણી, અનુપમભાઇ દોશી, અજયભાઇ પટેલ, દુર્લભસિંહ રાઠોડ, કશ્યપભાઇ છોટાઇ, સંજયભાઇ ટાંક તથા ડો. જનકભાઇ મારૂએ અપીલ કરી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj