રાજકોટ,તા.28
સુપેડીના મુરલી મનોહર મંદિર ખાતે ભાવીકો દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલનના મંડાણ કરાયા છે. ત્યારે આ મુદ્દે જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે પૌરાણિક અને આર્કીયોલોજી ડીપાર્ટમેન્ટની માલીકીના આ મંદિરમાં કોઈ સરકારી હસ્તક્ષેપ કરાયો નથી ભાવીકોની બુદ્ધા અને આસ્થાના પ્રભક સમાન આ મંદિરમાં ધ્વજા રોહણ સહિતની ધાર્મિક બાબતોમાં કોઈ ચાર્જ વસુલવામાં આવતો નથી મંદિરના પુજારીને સરકાર પગાર ચુકવી રહી છે.મંદિરની દાનપેટીનો હિસાબ રાખવાનું જણાવાતા તકલીફ પડી છે
. તેમ કલેકટર પ્રભવ જોશીએ જણાવી ઉમેયું હતું કે આ પૌરાણિક મંદિરના વિકાસ માટે ખાસ કમિટીની રચના કરવામાં આવી છે.જેમાં ગ્રામપંચાયત સરપંચ ઉપરાંત મામલતદાર, પ્રાંત અધિકારી સહિતનાનો સમાવેશ કરવામાં આવેલ છે. 1000 વર્ષ જૂના આ મંદિરના મુદ્દે કેટલાક તત્વો દ્વારા કરવામાં આવી રહ્યા છે.આ તત્વો લોકોને ગેરમાર્ગો દોરી રહ્યા છે.બાકી મંદિરની ધાર્મિક વિધી પર કોઈ પ્રતિબંધ મુકવામાં આવેલ નથી.વધુમાં કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે આ મંદિરના વિકાસ માટે સરકાર દ્વારા રૂ।8 લાખની ફાળવાયેલ ગ્રાંટ માંથી હાલ પરીક્ષાશાળા ભોજન શાળાનું કામ ચાલુ છે. અહીં યાત્રાળુઓ માટે જાજરૂની સુવિધા પણ નથી યાત્રાળુઓની સુવિધા માટે વિકાસ કામો ચાલુ છે.
અમુક તત્વોએ અડીંગો જમાવી શરૂ કર્યો છે જેઓ પ્રજાને ગેરમાર્ગ દોરી રહ્યા છે.આ મંદિરમાં ધ્વજારોહણ સહિતના કાર્યો ફીમાં થાય છે. અને ભવિષ્યમાં આ માટે ચાર્જ વસુલવાનો કોઈ ઈરાદો પણ નથી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy