(વિપુલ હિરાણી) ભાવનગર, તા.29 ભાવનગર નાગરીક સહકારી બેંકની તાજેતરમાં બોર્ડ ઓફ ડિરેકટર્સની બેંકની હેડ ઓફીસમાં બોર્ડ રૂમમાં મળેલી બેઠકમાં વિવિધ એજન્ડા ઉપ2 ચર્ચાઓ થઈ હતી અને તે દરમ્યાન એક તબ્દકે બેંકમાં 1988 થી ડિરેકટર પદે વિજેતા બનતા આવેલા સિનીયર મોસ્ટ ડિરેકટર જીતુ ઉપાધ્યાયે બેંકના ચેરમેન પ્રભાતસિંહ ગોહિલ ને સંબોધીને એવી ટકોર કરી સલાહ આપી હતી કે આ બેંકને લગતા નિર્ણયો બેંકની અંદર જ અને બેંકના સક્ષમ સતાધિશો દ્વારા લેવામાં આવે તે બેંકના હિતમાં છે અને આપના પક્ષના કાર્યલય માંથી બેંકના નિર્ણયો લેવા જોઈએ નહી. આ ટકોરનો તત્કાલ જવાબ આપતા પ્રભાતસિંહ ગોહિલે તેમને જણાવ્યુ હતુ કે અમે ભાજપ થકી ચુટાયા છીએ અને પક્ષના કાર્યાલયને પુછીને જ અમે નિર્ણય લઈશુ તે નિશ્ર્ચિત છે. આ પછી જીતુ ઉપાધ્યાયે વધુમાં તેમને ખુમારી સાથે સ્વતંત્ર નિર્ણય શકિત રાખવા પણ અનુરોધ કર્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy