દ્વારકાનાં ગોમતી નદીમાં પાણી વધતા 40 યાત્રીકો ફસાયા: રેસ્કયુ

Local | Jamnagar | 28 March, 2024 | 04:06 PM
સુદામા સેતુ બંધ થતા યાત્રીકો ગોમતી નદી પાર કરી પંચકુઈ દર્શન કરી પરત ફરતા નદીમાં ડુબવા લાગ્યા: બોટથી બચાવાયા
સાંજ સમાચાર

(અમરજીતસિંઘ) દ્વારકા તા.28

યાત્રાધામ દ્વારકામાં ગોમતી નદીને પાર પંચકુઈ દર્શન કરી પરત ફરતા 40 યાત્રિકો નદીમાં ફસાતા તંત્રએ રેસ્કયુ કરી તમામનો બચાવ્યા હતાં.

યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન પહેલા ગોમતી સ્નાનનું અનેરૂ મહત્વ છે. અને ગોમતીનદીના સામે પાર આવેલ પંચકુઇના દર્શન કરવા માટે લોકો જતા હોય છે. અને ગોમતીનદી પર આવેલ સુદામાસેતું પાર કરી પંચકુઇના દર્શન કરવા યાત્રિકો જતા હોય છે.

પરંતુ છેલ્લા કેટલાક વર્ષો થયા મોરબી પુલ દુર્ઘટનાનો બનાવ બનતા દ્વારકાના સુદામા સેતુ ને બંધ કરી દેવામાં આવ્યો હતો. જેના લીધે બહારગામ થી પધારતા યાત્રિકો સામે કાંઠે આવેલ પંચકુઈ તથા દરિયાની મોજ માણવાથી વંચિત રહે છે.

પવિત્ર ગોમતી નદી દરિયા સાથે જોડાયેલ હોય દરિયામાં આવતી ભરતી તથા ઓટ ના સમયે ગોમતી નદીમાં પણ પાણીની માત્રા ઓછીવધુ માત્રામાં થતું હોય છે. જેના કારણે દિવસ દરમિયાન ઓટના સમયે ગોમતી નદીમાં પાણી નહિવત થઈ જતું હોય છે. જેથી યાત્રિકો ગોમતી નદીની અંદરથી પગપાળા સામે કાંઠે જતા હોય છે. પરંતુ જ્યારે ભરતીનો સમય થતાં ગોમતી નદીમાં પણ પાણીની આવક આવતી હોય છે. આ બનાવથી મોટાભાગના યાત્રિકો અજાણ હોવાથી દુર્ઘટનાનો ભોગ બને છે.

આવી જ એક ઘટના આજરોજ દ્વારકા ગોમતીઘાટ ખાતે સર્જાઇ હતી બહારગામ થી આશરે 40 લોકો દ્વારકા દર્શનાર્થે આવ્યા હતા. ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા બાદ તેઓ ગોમતી ઘાટ ખાતે ગયા હતા અને ગોમતીમાં પાણી ખૂબ ઓછી માત્રામાં હોવાથી તે લોકો પગપાળા ચાલી ગોમતીનદી માંથી સામે કાંઠે પંચફુઈ તથા દરિયાની મોજ માણવા ગયા હતા. આ સમય દરમિયાન દરિયામાં ભરતી થતા ગોમતીમાં પણ પાણીની આવક આવી હતી. જેનો ખ્યાલ આ લોકોને ન હોવાથી તેઓ પરત ગોમતીનદી અંદરથી પરત આવવા લાગ્યા હતા. પરંતુ ભરતીનો સમય હોવાથી પાણીનો પ્રવાહ વધુ હતો જેના કારણે આ લોકો પાણીમાં ફસાયા હતા અને ડૂબવા લાગ્યા હતા. પરંતુ ફાયર વિભાગ તથા સ્થાનિક લોકોના સહયોગથી બોટ દ્વારા આ તમામ લોકોને બહાર કાઢી શકાયા હતા. જેના કારણે કોઈ જાન માનની નુકસાની થઈ ન હતી.

છેલ્લા કેટલાક વર્ષથી મોરબી પુલ દુર્ઘટના બનવાથી દ્વારકાના સુદામા સેતુને સજ્જડ બંધ કરી દેવાયો હતો. જે અખવારોમાં અનેકવાર ચર્ચામાં રહ્યા છતાં પણ તંત્ર દ્વારા આ સુદામા સેતુને ફરીથી લોકો માટે ચાલુ ન કરાતા આવી દુર્ઘટના સર્જાઈ હતી. સુદામા સેતુ ફરીથી ચાલુ કરવા લોક માંગણી ઉઠવા પામી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj