જામનગર તા.28
શ્રી ગાયત્રી શક્તિપીઠ જામનગર અને શ્રી રણછોડદાસજી બાપુ ચેરી. હોસ્પિટલ રાજકોટના સયુંકત ઉપક્રમે શરૂ સેક્શન રોડ, શિવમ પેટ્રોલપંપની પાછળ, માસ્તર સોસાયટી - જામનગર ખાતે આવેલ શ્રી ગાયત્રી શક્તિપીઠના ત્રિપદા ભવનમાં જનતાના લાભાર્થે વિનામૂલ્યે શ્રી સદગુરુ સુપર મેગા નેત્રમણી નેત્રયજ્ઞ ( ઓપરેશન સુવિધા સાથે ) નું આયોજન શુક્રવાર તા. 05-04-2024 ના રોજ સવારે 09.00 થી 12.00 વાગ્યા દરમ્યાન કરવામાં આવેલું છે.
આ વિનામૂલ્યે નેત્રયજ્ઞમાં શ્રી સદગુરુ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટના નિષ્ણાત ડોક્ટર તથા સ્ટાફ પોતાનું યોગદાન આપશે. આ વિનામૂલ્યે શ્રી સદગુરુ નેત્રયજ્ઞમાં આંખના રોગોનું નિદાન કરી, જરૂરિયાતવાળા મોતિયાના દર્દીને શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલની બસમાં લઇ જઈ આધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે. તથા વિનામૂલ્યે નેત્રમણી પણ બેસાડી આપવામાં આવશે. દર્દીને રહેવા, જમવા, ચા - પાણી, નાસ્તો, ચશ્માં, દવા, ટીપાં મફત આપવામાં આવશે. ઓપરેશન થયા બાદ દર્દીને શ્રી ગાયત્રી શક્તિપીઠ જામનગરના કેમ્પના સ્થળે પરત મુકવાની વ્યવસ્થા પણ રાજકોટની હોસ્પિટલ તરફથી કરવામાં આવશે.
આ દિવસે શ્રી ગાયત્રી શક્તિપીઠ જામનગરમાં કાયમી ધોરણે ચાલતા એક્યુપ્રેશર વિભાગ દ્વારા એકયુપ્રેશર કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું છે. જેમાં શરીરના કોઈપણ અંગના દુ:ખાવા માટે એકયુપ્રેશર પધ્ધતિથી સારવાર આપવામાં આવશે. તેમજ લાયન્સ કલબ વેસ્ટ જામનગરના સહયોગથી ડાયાબીટીસ તથા બી.પી. ની તપાસનો કેમ્પ પણ રાખેલ છે. તેમજ દાંતના દર્દો માટે ડો. કુંજલબેન પટેલ (ઇઉજ) તથા ડો. વૈશાલીબેન વાજા (ઇઉજ) તેમની સેવા આપશે. તો ઉપરોક્ત કેમ્પોનો લાભ લેવા માટે શ્રી ગાયત્રી શક્તિપીઠ અનુરોધ કરે છે. દર મહિનાની પ તારીખે નેત્ર નિદાન કેમ્પ નિશ્ચિત હોય છે. તેમજ રાજકોટ જનાર દર્દીને શક્તિપીઠમાં જમાડીને મોકલવામાં આવે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy