રાજકોટ :
હિમેશકુમાર જશવંતરાય ગઢીયાએ ગુ. દિલીપભાઇ દામોદરદાસ ગોરસીયા પાસેથી રજીસ્ટર સાટાખત અનુક્રમ નં. 187ર તા. 11-5-2004ના રોજ ખરીદ કરેલ હોય દિલીપભાઇએ વાદી હિમેશકુમારના પિતાશ્રી જશવંતરાય ગઢીયાને આ મિલ્કતનો વહીવટ વ્યવહાર અને વેચાણ કરવાની સતા આપતું કુલમુખત્યારનામુ કરી આપેલ. ત્યારબાદ હિમેશકુમારે ચુકતે અવેજની રકમ રૂા. 12,00,000/-ની જુદી જુદી તારીખોએ દિલીપભાઇને ચુકવી આપેલ તેથી તેની પહોંચ પણ દિલીપભાઇએ કરી આપેલ છે.
ત્યારબાદ જશવંતરાય ગઢીયાએ વાદી હિમેશકુમારના નામનો રજીસટર વેચાણ દસ્તાવેજ અનુક્રમ નં. પપ14 તા. 10-8-2006ના કરી આપેલ. તેમજ આ મિલ્કતના ભાડુઆત પાસેથી ભાડુ ઉધરાવવા હકકદાર થયેલ. હિમેશકુમાર ગઢીયા જોગ રજી. દસ્તાવેજ થઇ ગયા બાદ આ મિલ્કતના દિલીપભાઇ માલીક મટી ગયેલ છતાં બીનઅવેજી રીલીઝડીડ અનુક્રમ નં. 6444 તા. 25-9-2006ના કરી આપેલ. આ રીલીઝ ડીડ નલ એન્ડ વોઇડ છે અને કાયદાની અસર વગરનું હોય રદ કરવા વાદી હિમેશકુમાર ગઢીયાએ સીવીલ કોર્ટમાં દાવો દાખલ કરેલ.
જે દાવો ચાલી જતા સીવીલ જજ પી.જે.કાયસ્થએ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મુજબ પહેલો દસ્તાવેજ થયેલ હોય અને બીજો દસ્તાવેજ દિલીપભાઇએ તેમના સગાભાઇ નરેન્દ્રકુમાર દામોદરદાસ ગોરસીયાની તરફેણમાં કરી આપેલ હોય તેથી બીજો રજી. દસ્તાવેજ (રીલીઝ ડીડ) નલ એન્ડ વોઇડ જાહેર કરેલ અને રદ કરેલ છે અને વાદીને લક્ષ્મીલોજના માલીક તરીકે ઠરાવેલ છે અને ભાડુ વસુલ કરતા નરેન્દ્રકુમાર અટકાયત કરે નહીં તેવો હુકમ કરેલ છે અને 30 દિવસમાં કબજો સોંપી આપવા જણાવેલ છે. આ કામમાં વાદી હિમેશકુમાર જશવંતરાય ગઢીયા વતી ભરત પી. જોબનપુત્રા એડવોકેટ તરીકે રોકાયેલ હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy