ભાવનગરના સુવિખ્યાત દર્દીલા ગાયક કમલેશ અવસ્થીનું અમદાવાદ ખાતે નિધન: સંગીત જગતમાં ઘેરો શોક

Local | Bhavnagar | 29 March, 2024 | 12:32 PM
સંગીતના એક કાર્યક્રમમાં ખુદ રાજકપુર તેમનો અવાજ સાંભળીને બોલ્યા હતા ‘મુજે મેરા મુકેશ મીલ ગયા’
સાંજ સમાચાર

(વિપુલ હિરાણી) ભાવનગર તા.29
 

 ભાવનગરના સુવિખ્યાત દર્દીલા ગાયક કમલેશભાઈ અવસ્થી (ઉ.78)નું અમદાવાદ ખાતે અવસાન થયું છે. તેમની અંતિમ યાત્રા આજે સવારે 9 વાગે તેમના નિવાસસ્થાને સ્વર, સી-151 અશોકનગર સોસાયટી જોધપુર ટેકરા, સેટેલાઈટ, અમદાવાદ ખાતેથી નીકળી હતી. છેલ્લા કેટલાક વખતથી કોમોમાં હતા. 
બ્રેઈન સ્ટોક આવ્યા બાદ થોડો સમય અમદાવાદ દવાખાને સારવાર લીધેલી. અંતિમ શ્ર્વાસ લીધા ત્યારે તેમના પત્નિ મીનાબેન પુત્ર ભુષણ તથા તેજસ અને પરિવારજનો હતા.

 કમલેશભાઈના ખાસ મિત્રોમાંના નવિનભાઈ રાજયગુરૂ કે જેની સાથે 70 વર્ષની મિત્રતા હતી. તેમને કમલેશભાઈની સાથેના સ્મરણો યાદ કરતા ગળગળા થઈ ગયા હતા. તેમની સુર સાધના અને ખંતીલો સ્વભાવના લીધે આટલી ઉચાઈએ પહોંચ્યા હતા. કમલેશભાઈનો જન્મ 1945માં સાવરકુંડલામાં થયો હતો. તેમણે એમએસસી પીએચડી કરી ભાવનગર યુનિ. કેમેસ્ટ્રી ભવનમાં પૂર્વ વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવી હતી. ભાવનગરમાં ભાર્ગવભાઈ પંડયા પાસે સંગીતની તાલીમ લીધી હતી. કુદરતી રીતે મુકેશ જેવો અવાજ ધરાવતા હતા.

 સંગીતકાર મહેશ-નરેશના નિર્દેશન તળે ટ્રીબ્યુટ ટુ મુકેશ આલ્બમ બહાર પાડયું હતું. ગુજરાતી-હિન્દી ફિલ્મોમાં ગાયક તરીકે તેમણે કંઠ આપ્યો હતો. સંગીતના એક કાર્યક્રમમાં ખુદ રાજકપુર હાજર હતા અને સાંભળીને તેને વળગી પડેલ અને બોલ્યા હતા કે ‘મુજે મેરા મુકેશ મીલ ગયા’ એમના સંગીતના કાર્યક્રમો દેશભરમાં તથા વિદેશોમાં કુબ થયા હતા. તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સાતેક એવોર્ડ પ્રાપ્ત થયા હતા. લીમકા અને મિલેનિયમ એવોર્ડ વિજેતા હતા.

 સ્વભાવે વિનમ્ર, સાલસ અને આનંદી પ્રકૃતિના કમલેશભાઈની યાદ ચિરસ્મરણ રહેશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj