રાજકોટ,તા.28
ઉનાળાની શરૂઆત થઈ ચુકી છે. અને સૂર્યએ આગ વરસાવવાનું પણ શરૂ કરી દીધું છે. લોકો સખત તાપની અકડાય રહ્યા છે. હજુ તો ઉનાળાની શરૂઆતમાં જ તાપમાન 40 ડીગ્રીને આંબી ગયુ છે તો આગળ હજુ તાપમાન કેટલું સખત બનશે તે કલ્પનાથી તરે છે. ત્યારે ઉનાળામાં લોકો ગરમી રાહત મેળવવા ઠંડક વાલી વસ્તુઓ ગ્રહણ કરે છે. તે પછી આઈસ્કીમ હોય કે પછી શેરડીનો મીઠો રસ શરીરને ટાઢક સાથે ગરમીથી છુટકારો આપે છે.
આથી ગરમીમાં ફ્રીઝ જેવું ઠંડક આપતુ માટલાનું પાણી પીવાનું લોકો વધુ પસંદ કરે છે. માટલાનું પાણી પીવાથી અનેકો ફાયદાઓ થાય છે. કૃત્રિમ કરતા કુદરતી રીતે ઠંડા થતા પાણીથી આરોગ્યની જાણવણી થાય છે. આથી બજારમાં માટલાનું વેચાણ પણ વધ્યુ છે બજારમાં શ્રીનાથ માટી અને ગુરૂવાળી માટીના માટલાનું વેચાણ થઈ રહ્યું છે.
આ માટલા સ્થાનીક રીતે કુંભાર ભાઈઓ દ્વારા બનાવવામાં આવે છે.તેમજ ભાવનગર મહેસાણા, થાન, અમદાવાદ, થી પણ મંગાવવામાં આવે છે. હાલ બજારમાં અવનવી ડીઝાઈન વાળા માટલાનું વેચાણ થઈ રહેયું છે. જેનો ભાવ રૂ।.200 થી શરૂ થઈ રૂ.5।00 સુધીના છે જે લોકો માટીના માટલાનું પાણી પીવાથી દેવાયેલ હોય તેઓ માટલાનું જ પાણી પીવે છે.
આથી ઘરોમાં ઓફીસોમાં જાહેર સ્થળોએ માટલા રાખવાનો આગ્રહ વધુ હોય છે. લાલ રંગના સાદા માટલા રાજસ્થાનથી તો સફેદ માટલા મોરબી અને થાનગઢથી ચિત્રોવાળા, કચ્છી માટલા, છોટા ઉદ્દેપુરના કાળીમાટીના માટલાનું બજારમાં વેચાણ થઈ રહ્યું છે.(તસ્વીર: દેવેન અમરેલીયા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy