(વિપુલ હિરાણી)
ભાવનગર, તા. 28
તળાજા પંથકના કુંઢડાને ગીર જંગલની પર્વતમાળા લાગે છે. તો કોસ્ટલ વિસ્તાર,શેત્રુંજી નદી અને નહેરના કારણે તળાજા પંથકમાં સાવજોની અવર જવર રહે છે.પણ અહીં ઘણા વર્ષોબાદ જોવા મળ્યું છેકે ત્રણ ત્રણના ગ્રુપમાં સાવજો અહીં કુંઢડા,ટીમાણા અને પાદરી(ગો) વિસ્તારમાં જોવા મળે છે.જેમાં ગઈકાલે કુંઢડાના રહેણાંક વિસ્તારમા વાડામાં બાંધેલ ગાય નું મારણ કર્યું.
અહીં બાંધેલ એક વાછડીને ઉઠાવી ને સાવજો લઈ ગયા હતા.તળાજા પંથકના સિંહ પ્રેમીઓ માટે આનંદના સમાચાર એ છેકે અહીં સાવજો નું રહેઠાણ અને વિચરણ ફરી વધી રહ્યું છે.તો બીજી તરફ પશુપાલકો અને વાડીએ રહેતા ખેડુતો, શ્રમજીવીઓને સાવધાન રહેવું પડે તેવી સ્થિતિ છે.
ગઈકાલે કુંઢડા જે જંગલ નજીકનુજ એક ગામ કહી શકાય ત્યાં રાત્રીના સમયે બાબાભાઈ ભાણાભાઈ મોભ એ પશુમાટે બનાવેલ વાડામા રાત્રિના આશરે અધિવાગ્યા ના સુમારે ત્રણ સાવન આવ્યા ત્રાટકયા હતા.અહીં એક ગાયનું મારણ કરી ને ત્રીસેક દિવસ ની વાંછડી ને લઈ ગયા હતા.સ્થાનિક રહીશોએ જણાવ્યું હતુ કે છેલા પાંચેક દિવસ થી સાવજો ની અહીં રંજાડ છે.ફોરેસ્ટ કર્મચારી ભટ્ટભાઈ એ જણાવ્યું હતુ કે એક માદા અને બે પાઠડા મળી ત્રણ નું ગૃપછે.
બીજું એક ત્રણ સિંહ પરિવાર નું ગ્રુપ ટીમાણા વિસ્તારમા જોવા મળે છે.તેમાં પણ બે નર અને એક માદા છે.આ ગ્રુપ શેવાળીયા,પિંગળી સહિતના શેત્રુંજી નદી અને કેનાલ વિસ્તારમાં આંટાફેરા કરે છે.જોકે અહીં કોઈ રંજાડ નથી તેમ અશોકસિંહ ગોહિલ એ જણાવ્યું હતુ.
સતત લોકેશન રાખતા અને સિંહ ની રિતભાતના અનુભવી અશોકસિંહ ગોહિલ એ જણાવ્યું હતુ કે છેલ્લા ત્રણેક માસ થી પાદરી(ગો),તરસરા અને છેક ખંઢેરા,સરતાનપર સુધી દરિયા કિનારે અહીં ત્રણ સાવજોનું ગ્રુપ વિચરણ કરે છે.ઉનાળો હોય તરસરા ના બાવળ ના જંગલ નો ભૂતડાવાળી જગ્યા તરીકે ઓળખાતા વિસ્તાર મા ઠંડા પવન ના કારણે ફાવી ગયો છે.પાદરી નજીક ગઈકાલ રાત્રે એકી સાથે બે ખુટિયાનું મારણ કરેલ હતું. અહીં બે સિંહણ અને એક સિંહ છે.જે ત્રણ થી પાંચ વર્ષ ની ઉંમરના છે.યુવા વયે પહોંચવા આવેલ સિંહ સિંહણ ને પાઠડા તરીકે ઓળખવામાં આવે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy