જામનગર તા.28
લાલપુર તાલુકાના હરીપર ગામે વકીલ પર થયેલા હુમલા મામલે બે આરોપીઓ સામે નામજોગ ફરિયાદ નોંધાઇ છે. જેને લઇને લાલપુર પોલીસે આરોપીઓ સુધી પહોંચવા તપાસની ધમધમાટ શરૂ કર્યો છે.
લાલપુર પોલીસ મથકમાં અનિલભાઇ રવજીભાઇ પરસાણા નામના હરીપર ગામના વકીલે આરોપી મહિપતસિંહ કલુભા જાડેજા અને નારદ કેશવજીભા સંઘાણી નામના હરિપર ગામના બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવાયા અનુસાર એડવોકેટ અનિલભાઇ પણસારા પોતાની હરિપર નજીક વાડીએ હતાં આ દરમિયાન જમીનના પ્રશ્ર્ને આરોપીઓ સામે વાંધો ચાલતો હતો અને જમીન વેંચાણના આ પ્રકરણમાં આરોપીઓએ એડવોકેટ સાથે તકરાર કરી હતી.
તેવામાં એડવોકેટ અનિલભાઇ હરીપર ગામે પોતાની વાડીએ ગયા હતાં દરમિયાન અન્ય વાહનમાં ઘસી આવેલા મહિપતસિંહ કાલુભા જાડેજા અને નારદજ કેશવજી સંઘાણીએ માથાકૂટ કરી હતી. ત્યારબાદ હુમલો કરતાં અફરાતફરી મચી હતી. આરોપીએ ધોકા-પાઇપ વડે હુમલો કરતાં એડવોકેટને ઇજા થઇ હતી અને તેઓને તાત્કાલિક સારવાર અર્થે જામનગરની જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડાયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે બન્ને શખ્સો સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy