(મનીષ ચાંદ્રાણી) વિરપુર,તા.29 વિરપુર (જલારામ)માં આવેલ સ્વામિનારાયણ ગુણાતીત વિદ્યાધામ ગુરુકુળમાં શાસ્ત્રી સ્વામી ઘનશ્યામપ્રકાશ દાસજીની પ્રેરણાથી અને શાસ્ત્રી સ્વામી વિશ્વવિહારી દાસજીના નેજા હેઠળ ત્રિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં 200 જેટલી દીકરીઓનુ પુજન અને બપોરના સમયે બ્રહ્મસમાજ તેમજ સાધુસમાજ અને કુમારિકાઓને ભોજન કરાવાયું હતું,તેમજ સાંજે સેવાકીય સંસ્થા શિક્ષણ સંસ્કારના ધામ ગુણાતીત વિદ્યાધામ ગુરુકુળના આંગણે સાંજે 5:00 વાગ્યાથી લઈ રાત્રે 10:00 વાગ્યા સુધી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ "ચલો અયોઘ્યા ધામ"ની થીમ પર વાર્ષિકોત્સવ ભવ્યાતિભવ્ય ઉજવાયો જેમા નાટક, રાસ,ગરબા તેમજ નૃત્ય વગેરે વેશભૂષાથી સુશોભિત બાળ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો,આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાધુસંતો ,બોટાદ ગુરુકુળથી માધવપ્રિયદાસજી સ્વામી,જૂનાગઢથી ભંડારી સ્વામી વિષ્ણુપ્રસાદદાસજી તેમજ અન્ય સંતો તથા ગાયત્રી મૂક્તિધામ સેવા સમિતિના પ્રમુખ અનિલભાઈ વઘાસીયા અને તેમની ટીમ, માજી આરોગ્ય ચેરમેન રાજકોટ જનકભાઈ ડોબરીયા, તેજસભાઈ હાથી , રસિકભાઈ રૂપારેલિયા મિલેનિયમ ગૃપ ધવલભાઈ ભટ્ટની ટીમ,આચાર્ય વિજયભાઈ ડોબરીયા તેમજ ડાયરેક્ટર મૌલિકભાઈ વગેરે અગ્રણીઓના હસ્તે દીપપ્રાગટ્ય કરવામાં આવ્યું હતું તેમજ રસિકભાઈ રૂપારેલિયા દ્વારા બપોરે દીકરીઓને ગીફ્ટ આપવામાં આવી હતી,આ ત્રિવિધ કાર્યક્રમને સફળ બનાવવા વીરપુર ગુરૂકુળના શાસ્ત્રી સ્વામી વિશ્વવિહારી દાસજી તેમજ ગુણાતીત વિદ્યાધામના શિક્ષકગણે ભારે જહેમત ઉઠાવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy