સરકાર અદાલત સાથે મશ્કરી કરે છે? હાઈકોર્ટ આકરા પાણીએ

ધાર્મિક દબાણો હટાવવામાં કેમ કોઈ એકશન નહીં? ગૃહસચીવ સામે કેમ કાર્યવાહી ન કરવી? હાઈકોર્ટ

Gujarat | Ahmedabad | 28 March, 2024 | 11:57 AM
ધાર્મિક દબાણોનાં સ્ટેટસ સહીતનો એકશન પ્લાન રજુ કરવા આદેશ: ગૃહ વિભાગને બદલે રેવન્યુ ઉપસચીવના સોગંદનામાથી વડી અદાલત નારાજ
સાંજ સમાચાર

અમદાવાદ: જાહેર માર્ગો પર ધાર્મિક દબાણો મુદ્દે હાઈકોર્ટનાં આદેશ છતાંય રાજય સરકારનાં ગૃહ વિભાગ દ્વારા યોગ્ય જવાબ નહિં અપાતા ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ અને જસ્ટીસ અનિરૂદ્ધ પી.માયીની ખંડપીઠે ભારે નારાજગી દર્શાવી હતી.ખંડપીઠે આદેશ કર્યો છે કે ધાર્મિક દબાણો દુર કરવાના સુપ્રિમ કોર્ટના નિર્દેશોનો અમલ નહી કરાતા ગૃહ વિભાગનાં સચીવ સામે કાર્યવાહી કેમ નહીં કરવી એનો ખુલાસો કરવામાં આવે.

કાયદો-વ્યવસ્થા જાળવવાની જવાબદારી ગૃહ વિભાગની છે અને ગેરકાયદે ધાર્મિક દબાણોના કારણે પણ કાયદો વ્યવસ્થા ખોરવાય છે. એવા સંજોગોમાં ગૃહ વિભાગ જવાબદારીમાંથી છટકવાનો પ્રયત્ન કેમ કરી રહ્યું છે. અમે ગૃહ વિભાગનાં સચીવને સોગંદનામું કરવાનો આદેશ કર્યો હતો.

સરકારનાં રેવન્યુ વિભાગનાં ઉપસચીવે સોગંદનામું કર્યુ શું સરકાર હાઈકોર્ટ સાથે મશ્કરી કરી રહી છે. આ પ્રકારની ઝાટકણી કરી હાઈકોર્ટે આગામી સુનાવણી સુધીમાં કોર્ટના રેકોર્ડ પર ધાર્મિક દબાણો દુર કરવા મુદેનો એકશન પ્લાન રજુ કરવાનો આદેશ કર્યો છે.

ખંડપીઠે ટકોર કરી હતી કે, અમારા સ્પષ્ટ આદેશ છતાં ગૃહ વિભાગનાં સચીવ દ્વારા કોઈ ચોકકસ જવાબ આપવામાં આવ્યો નથી અગાઉ રેવન્યુ વિભાગના અંડર સેક્રેટરીનુ સોગંદનામું કરવામાં આવ્યું હતું. જયારે ગૃહ વિભાગ પાસેથી સોગંદનામું હાઈકોર્ટે માંગ્યુ હતું. ત્યારબાદ રાજય સરકારે સમય માગ્યો હતો અને ગૃહ વિભાગનાં સચીવનું સોગંદનામુ રજુ કરશે તેવી વિનંતી કરી હતી. તેમ છતાંય આજે માત્ર ઉપરછલ્લુ સોગંદનામુ ગૃંહ વિભાગના સચીવ દ્વારા કરવામાં આવ્યુ હતું.

કોઈ નકકર જવાબ અમને અપાયા નથી અને મેટરને ડાઈવર્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.અમને સમજાતું નથી કે ગૃહ વિભાગનાં સચીવ દ્વારા આવો કોઈ જવાબ કઈ રીતે આપવામાં આવ્યો રાજયમાં કાયદો-વ્યવસ્થા જાળવવાની ગૃહ વિભાગના સચીવની જવાબદારી છે. સરકારી જમીન પર ઉભા કરાયેલા ગેરકાયદે ધાર્મિક દબાણોના કારણે કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ મુશ્કેલીમાં મુકાઈ છે

ત્યારે ગૃહ વિભાગ તેવી જવાબદારીમાંથી છટકી શકે નહિં અને સુપ્રિમ કોર્ટનાં નિર્દેશોનો ભંગ કરી શકે નહિં. તેથી ગૃહ વિભાગનાં સચીવ સામે શા માટે કાર્યવાહી નહી કરવી. એનો ખુલાસો કરવામાં આવે.ચોકકસ સમયસીમામાં રાજયમાં જાહેર માર્ગો અને સરકારી જમીન પર ઉભા કરવામાં આવેલા દબાણોને દુર કરવાના સુપ્રિમ કોર્ટનાં આદેશનો અમલ તેમણે કેમ કર્યો નથી. આ કેસની વધુ સુનાવણી 22 એપ્રિલના રોજ મુકરર કરવામાં આવી છે.

આ મામલે જીલ્લા અને મનપા વિસ્તારોમાં કેટલા ધાર્મિક દબાણો છે તેમની સામે શું કાર્યવાહી કરવામાં આવી એ તમામની વિગતો કોર્ટ દ્વારા માંગવામાં આવી હતી. દબાણો દુર કરવાનું સ્ટેટસ કોર્ટે માંગ્યુ હતું.પરંતુ તેમાં કોઈ એકશન લીધા હોવાનું જણાવ્યુ નહોતુ કે એકશન પ્લાન પણ દર્શાવ્યો ન હતો.ઉલટાનું છ મહિનાનો સમય રાજય સરકાર દ્વારા માગવામાં આવ્યો હતો.

આ રજુઆત પ્રત્યે હાઈકોર્ટે નારાજગી દર્શાવી હતી અને ક્હ્યુ હતુંકે તમે કોર્ટ સમક્ષ રેકર્ડ પર કંઈ પણ મુકયા વિના રોજેરોજ સોગંદનામા કર્યા હતા. જો તમારૂ આ સોગંદનામું સ્પષ્ટ નથી તો શા માટે કોર્ટ સમક્ષ રજુ કર્યું.સરકારનું આ કયા પ્રકારનુ વલણ છે? દર વખતે સોગંદનામામાં અધુરી કે ઓછી માહીતીઓ લખીને કોર્ટ સમક્ષ રજુ કરી દો છો. પછી કોર્ટ કહે તો કહો છો કે અમે ફરીથી સોગંદનામુ કરીશુ.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj