રાજકોટ,તા.28
દર વર્ષની માફક આ વર્ષે પણ એકતા મિત્ર મંડળ દ્વારા 108 રાંદલમાં ના લોટાનું ભવ્ય આયોજન આગામી તા.2ને મંગળવારે સવારે 9 કલાકે જલજીત હોલની સામે કોર્પોરેશન કોમ્યુનીટી હોલની અંદર, આનંદનગર મેઈન રોડ રાજકોટ ખાતે રાખેલ છે.જેમાં તા.2ને મંગળવારે સવારે 7 કલાકે મહાઆરતી 8.30 કલાકે પુજા સ્થાપન, 10 કલાકે ગોરણી પ્રસાદ સાંજે 6.30 કલાકે ઘોડો ખુદવાનો કાર્યક્રમ રાખેલ છે.આ પ્રસંગે ઠાકોર માંધાતા સિંહ જાડેજા, મહારાણી સાહેબ કાંદમ્બરી દેવી જાડેજા, બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ઉપાધ્યાય, આપાગીગાનો ઓટલોનાં મહંત નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજબાપુ, પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મેયર નયનાબેન પેઢડીયા, રાજકિય ક્ષેત્રેનાં આગેવાનો ધારાસભ્યો વિવિધ સંસ્થાનાં આગેવાનો વોર્ડનાં સદસ્યો અગ્રણી વેપારીઓ આમંત્રીત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતાં.
આ કાર્યક્રમને સફળ બનાવવા એકતા મિત્ર મંડળના પ્રમુખ હરિભાઈ રાઠોડ, ટ્રસ્ટી ઈન્દુભા રાઓલ, ગોપાલ અનડકટ, વિજયભાઈ વાંક, ગજુભા ઝાલા, નટુભા ફોજી દેવાંગભાઈ ગજ્જર, હંસાબેન સાપરીયા, નયનાબેન ગોહેલ, શોલીનાબેન ચૌહાણ, માલતીબેન ચાવડા, વિભુતીબેન ત્રિવેદી, આરતીબા જાડેજા, કોમલબેન પરમાર વિ.જહેમત ઉઠાવી રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy