જામનગર તા.28
જામનગરમાં ચકચારી વકીલ હત્યા કેસ મામલે પોલીસે સાયચા ગેંગને દબોચવાનું શરૂ કર્યું છે. પોલીસે અડધી સાયચા ગેંગે ઢેર કરી દીધી છે. અને બાકી રહેતા આરોપીઓને એક અઠવાડીયામાં પકડી પાડવામાં આવશે તેવો એસપી પ્રેમસુખ ડેલુએ દાવો કર્યો હતો.
હારુન પલેજાની હત્યામાં સાયચા ગેંગના 15 શખ્સો સામે ફરિયાદ નોંધાયા બાદ જ પોલીસ આરોપીઓ સુધી પહોંચવા સઘન તપાસ હાથ ધરી હતી. એક પછી એક પોલીસે અત્યાર સુધીમાં આઠ જેટલા આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કર્યા છે. પકડાયેલા આરોપીઓને પોલીસે રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં હાજર કર્યા હતા. કોર્ટે પણ ગુનાની ગંભીતાને ધ્યાને લઈને તમામ આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
તો સમગ્ર મામલે જિલ્લા પોલીસવડાએ સમગ્ર હત્યાના બનાવની તપાસમાં કોઈ કચાસ ન રહે અને તમામ આરોપીઓ પકડાય તે માટે જઈંઝની રચના કરી છે. અત્યાર સુધીમાં પકડાયેલા આરોપીઓને લઈને જિલ્લા પોલીસવાડાએ પત્રકારોને વિસ્તૃત માહિતી આપી હતી.
જામનગર જિલ્લા પોલીસવાળા પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું કે વકીલ હારુન પલેજા હત્યા કેસમાં અત્યાર સુધીમાં બસીદ જુસબ સાઈચા, સિકંદર સાયચા, દિલાવર હુસેન કક્કલ, સુલેમાન હુસેન, ઇમરાન નૂરમામદ સાઇચા, રમજાન સલીમ સાઇચા અને બે સગીર સહિત કુલ આઠ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
હજુ પણ આ મામલે ફરાર આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે અને તેમના વિરુદ્ધ કાયદેકીય પગલાં લેવામાં આવશે. એસપી પ્રેમચૂક ડેલુએ કહ્યું હતું કે બાકી રહેતા આરોપીઓને એકાદ અઠવાડિયામાં દબોચી લેવામાં આવશે.
સીટની રચના પછી તપાસમાં વેગ અને સફળતા
જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરાયા બાદ CITY DYSP જયવીરસિંહ ઝાલાના વડપણ હેઠળ CITY A PI નિકુંજ ચાવડા (તપાસનીશ અધિકારી) LCB PSI આર.કે.કરમટા WS સહિત 6 થી 7 પોલીસ કર્મીઓ તેજ તપાસ ચલાવી રહ્યા છે. જે બાદ એક પછી એક આરોપીઓ પોલીસે ચડી રહ્યા છે.
હત્યાં પાછળનું કારણ સામે આવ્યું
જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું કે વકીલ હારુન પલેજાની હત્યા કરતા પહેલા આરોપીઓએ હત્યાંને અંજામ આપવા માટે પ્લાન કર્યો હતો. વકીલ હારુ ભલેજા ક્યાં ક્યાં જાય છે કેની સાથે બેસે છે તે અંગે આરોપીઓએ માહિતી મેળવી હતી. ત્યારબાદ 13 માર્ચે સાંજના સમયે વકીલ હારુન પલેજાની જાહેરમાં નિર્મમ હત્યાં નીપજાવવામાં આવી હતી.
જિલ્લા પોલીસવાળાએ જણાવ્યું કે વકીલ હારુન પલેજાની હત્યા પાછળ શિક્ષિકા નૂરજહાં હુંદડાનો આપઘાત મામલે જવાબદાર હોવાનું સામે આવ્યું છે. શિક્ષિકાના આપઘાતમા સાયચા ગેંગના સભ્યોની સંડોવણી ખુલ્યા બાદ વકીલ તરીકે હારુન પલેજા રોકાયા હતા. આ બાબતનો ખાર રાખીને તેમની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy