(મનીષ ચાંદ્રાણી દ્વારા) વિરપુર,તા.26
યાત્રાધામ વિરપુર જલારામ ખાતે પ્રેરણા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલીત પ્રેરણા સ્કુલને છ વર્ષ પુર્ણ થતા આસોપાલવ પાર્ટી પ્લોટ ખાતે ભવ્યાતિભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન કરાયું હતું,જેમાં કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી અને ત્યારબાદ પુષ્પગુચ્છ આપી સૌ આગેવાનો વડીલોનું અભિવાદન કરવામાં આવ્યું હતું,
પ્રેરણા સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ એલ.કે.જી. થી લઈને તમામ ધોરણના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના ભુલકાઓ દ્વારા અવનવા રાસ,અભિનય,નાટકો રજૂ કર્યા હતા, નાના ભુલકાઓના અભિનયો થી સૌ કોઈ મંત્રમુગ્ધ થયા હતા. ખાસ કરીને વિદ્યાર્થીઓએ રજૂ કરેલ અભિનય માં "મેં ખેડૂત હું" તેમજ તારક મહેતા કા ઉલટા ચશ્માની કૃતિએ તો ઉપસ્થિત લોકોને ખુબજ મનોરંજન પૂરું પાડ્યું હતું.
બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવા વિરપુર ગામના વિવિધ ક્ષેત્રના સામાજીક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહીને ઈનામોની વણઝાર વર્ષાવી હતી જેમાં રાજકોટ જીલ્લા પંચાયતના પુર્વ આરોગ્ય ચેરમેન જનકભાઈ ડોબરીયા,તાલુકા પંચાયત કચેરીના સદસ્ય દિનેશભાઈ વઘાસીયા, જલારામજી વિદ્યાલયના ભૂતપૂર્વ આચાર્ય વઘાસીયા તેમજ ક્ષત્રિય અગ્રણી અને વિરપુરના જાણીતા ડો.ભરતભાઈ જાડેજા, બાલાભાઈ વઘાસીયા સહીતના અગ્રણીઓ હાજર રહ્યા હતા,આ કાર્યક્રમનું સંચાલન વિરપુરના જાણીતા વેપારી અગ્રણી રમેશભાઈ ગઢીયાએ કર્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy