જામનગર તા.28
નવી શિક્ષણ નીતિએ કૌશલ્ય, ઉદ્યોગ જોડાણ અને રોજગાર ક્ષમતાના સંકલન દ્વારા આવતી કાલની જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિવિધ કૌશલ્યો પ્રાપ્ત કરવામાં મદદ કરીને સર્વગ્રાહી શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે ત્યારે વિદ્યાર્થીઓને મનોરંજન સાથે વિવિધ પ્રવૃતિઓ તરફ ઉજાગર કરી તેમને પોતાના રસ અને વલણની ઓળખ કરાવવાના ઉમદા અભિગમ સાથે શાળા નં-18 જામનગર દ્વારા ધોરણ 6 થી 8 માં 10 દિવસ "બેગલેશ અભ્યાસ" શરૂ કરવામાં આવ્યો હતો.
જેમા 120 વિધાર્થીઓએ ભાગ લઇને વ્યવસાયિક જ્ઞાન મેળવ્યુ હતુ, પ્રાથમિક આરોગ્ય કેંદ્રના ડોક્ટર અને તેમની ટીમે આરોગ્ય અને ખોરાક -પોષાક, સરકારશ્રીની આરોગ્યલક્ષી વિવિધ યોજનાઓ અને લોહીના પરીક્ષણની સમજ આપી હતી. પી.જી.વી.સી.એલ. દ્વારા ફાયર સિકયોરીટી, વિજળી કેમ બચાવવી, મીટરના પ્રકાર અને રીડીગ, સાવચેતી અને સુરક્ષા તથા સૌર ઉર્જા વિષે સમજ આપી હરી. બી.એસ.એન.એલ મુલાકાતમા તેના કાર્યોની સમજ અને અરિહંત ઇન્ડસ્ટ્રીઝ ખાતે બ્રાસ અને પિતળના જુદા જુદા ભાગો અને તેની બનાવટ વિશે ઉધોગપતી અને શાળાના કાયમી દાતાશ્રી રૂપેશભાઇ અને પરેશભાઇ શાહે વિધાર્થીઓને પ્રેરણા અને પ્રવચન આપ્યુ હતું. અરિહંત ઇન્ડસ્ટ્રીઝ ખાતે તમામ બાળકોને ફ્રુટી અને બોલપેન આપીને સત્કારવામાં આવ્યા હતાં.
બેગલેશ કાર્યકરમાં ક્ધવીનર તરીકે સંદિપભાઇ રાઠોડ, નિતાબેન ભાલોડિયા, અંકિતાબેન અઘેરા અને મંજુબેન જાદવે ફરજ બજાવી હતી. શાળાના મુખ્ય શિક્ષક દિપક પાગડાએ શિક્ષણની સાથે કળા, ગાર્ડનિંગ, કમ્પોસ્ટિંગ, બ્યુટીફિકેશન અને હોલેસ્ટીક નોલેજ જેવા જીવન નિર્વાહ માટેના રચનાત્મક કાર્યો સાથે ડિજિટલ નોલેજ પણ પ્રવર્તમાન સમયનો હિસ્સો છે તે થી આવા કાર્યક્રમ આગળના સમયમાં પણ યોજાતા રહે અને અરિહંત ઇન્ડસ્ટ્રીઝ , પી.એચ.સી. , પીજીવીસીએલ, બીએસએનએલ અને માર્ગદર્શકનો આભાર શાળા પરિવારવતી આભાર માન્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy