( આશિષ પોપટ) માધવપુર,તા.26
માધવપુર ઘેડમાં તા.25ને સોમવારના રોજ શ્રીકૃષ્ણ રૂક્ષ્મણીના વિવાહની કંકોત્રી મધુવનમાં આવેલા રુકમણી મઠે લખાઈ શ્રીકૃષ્ણ પ્રભુ ગઈકાલે બપોરના સોમવારે ચાર વાગે નિજ મંદિરેથી એટલે કે માધવરાય મંદિરેથી રવાડીમાં બેસી વાજતે ગાજતે કિર્તનકારો સાથે ભાઈ બહેનો સાથે ઢોલ શરણાઈના સૂરે મધુવનમાં ફૂલ ડોલ ઝુલવા તથા કંકોત્રી લખવા માટે નિકળ્યા હતાં. મધુવનમાં આવેલા લગ્ન સ્થળે પહોચ્યા બાદ શ્રીકૃષ્ણ પ્રભુને ઝાડ નીચે જુલડે બાંધી પધરાવવામાં આવ્યા હતાં.
પછી સર્વે ભાવિક ભાઈ-બહેનોને શ્રીકૃષ્ણ અબીલ ગુલાલ વડે ખોલાવવાનો તથા જુલો જુલાવવાનો અમૂલ્ય લાહ્યો મળ્યો હતો.બહાર ગામથી પણ મોટી સંખ્યામાં ભકતો આવ્યા હતા ત્યારપછી બેઠકજી પાસે આવેલા રૂકમણી મઠે જે રૂકમણીનું પિયર કહેવાય છે. ત્યાં શ્રી કૃષ્ણ પ્રભુ આવ્યા હતાં. ત્યા રુકમણીના પિયરીયાઓએ સ્વાગત કર્યું હતું. ફુલ બિછાનો બનાવ્યો હતો. શીતલ, જલ તથા મેવો ધરાવ્યો હતો.આ શીતલ જલ અને મેવો સમગ્ર જનતામાં પ્રસાદરૂપે વાટવામાં આવ્યો હતો. અને ભાવિકો ભકતો દ્વારા શેરડીનો રસ અને પાયનેપલ સરબત પીવડાવવામાં આવ્યું હતું.
કીર્તન કારોએ કીર્તનો કર્યા હતા તેમજ વર્ષો પુરાણી પરંમપરા મુજબ શ્રીકૃષ્ણ રૂકમણી પહ્મ દ્વારા સમજુતી કરી લગ્ન કંકોત્રી વિધિ મોકલાવી છે માધવરાય મંદિરના મુખ્યાજી દ્વારા લખવામાં આવી હતી. બહેનોએ લગ્ન ગીતોની રમઝટ બોલાવી હતી.મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉભરાયો હતો રુકમણી માધવરાય જયઘોષ કરતા લોકો છુટા પડયા હતાં. અને સૌ કોઈ વ્યકિતના હૈયામાં શ્રી કૃષ્ણ રૂકમણીના લગ્નની ઉજવણીનો થનગરાટ શ્રી કૃષ્ણ રૂકમણીના લગ્ન રામનોમ (9) થી (13) તેરશ એમ પાંચ દિવસનો લગ્ન ઉત્સવ તથા ભવ્ય મેળાનું આયોજન કરવામાં સૌ તડામાર તૈયારીમાં પડી ગયા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy