રાજકોટ તા.28
આગામી તા.31 માર્ચના રોજ રાજકોટમાં 41 કેન્દ્રો પર ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ)ની પરીક્ષા યોજાવાની છે. જેને લઈ પોલીસ કમિશ્ર્નર રાજુ ભાર્ગવે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે.
જાહેરનામામાં જણાવ્યા મુજબ, આ પરીક્ષા તા.31/3/24ના સવારે 10થી સાંજે 4 વાગ્યા દરમ્યાન લેવાનાર હોય પરીક્ષાર્થીઓ કોઈપણ જાતની ખલેલ વિના પરીક્ષા મુક્ત અને શાંત વાતાવરણમાં આપી શકે તેમજ બહારના કોઈ તોફાની તત્વો આ પરીક્ષા દરમ્યાન પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને ખલેલ પહોંચાડે નહી તથા પરીક્ષા દરમ્યાન કોઈ ગેરકાયદેસરની પ્રવૃતિ આચરે નહી તે માટે તા.31/3/24ના રોજ સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી શહેરના જે જે પરીક્ષા કેન્દ્રો (શાળાઓ)માં પરીક્ષા લેવાનાર છે
તે કેન્દ્રોના કમ્પાઉન્ડમાં તેમજ તેની ચારેય બાજુની 100 મીટરની ત્રીજયાના વિસ્તારમાં પરીક્ષાર્થીઓને ખલેલ ન પડે તે માટે કોઈપણ અનઅધિકૃત વ્યક્તિઓ એકત્રીત થશે નહી કે શાળાઓ (કેન્દ્રો)માં પ્રવેશ કરશે નહી કે વાહન લઈ જઈ શકશે નહી કે લાવશે નહી કે ચારથી વધુ માણસો ભેગા થશે નહી કે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ ફોન લઈ જાય નહી. તે અંગે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy