જીજ્ઞેશ ભટ્ટ દ્વારા મોરબી તા 28
મોરબી શહેરના જુદાજુદ વિસ્તારમાં દિવસેને દિવસે રજળતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે અને આખલા યુધ્ધ પણ થાય છે ત્યારે મોરબીના લોકોને આ પીડામાંથી મુક્તિ આપવા માટે પાલિકામાં રજૂઆત કરવામાં આવેલ છે
મોરબી પાલિકાના ચીફ ઓફિસરને સામાજિક કાર્યકર અબ્દુલ એમ. બુખારી દ્રારા લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલા લાયન્સનગર વિસ્તારમાં વોર્ડ નં.11 ના સ્થાનિકોને અવારનવાર આખલા યુદ્ધની પરિસ્થિતિનો સામનો કરે છે અને ઘણી વખત નાના મોટી ઇજાઓ પણ થતી હોય છે આટલું જ નહીં લોકોના વાહનોમાં પણ નુકશાન થય છે તેમજ ઘણી વખત રસ્તા બંધ થઈ જાય છે જેથી કોઈ જીવલેણ અકસ્માત થાય તે પાહેલા રજડતા ઢોરને પકડવામાં આવે તેવી માંગ કરી છે
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy