દેહરાદૂન, તા.23
ચારધામ યાત્રા માટે આવનાર દરેક શ્રદ્ધાળુ માટે રજીસ્ટ્રેશન ફરજીયાત છે. મુખ્ય સચિવ રાધા રતુરીએ બુધવારે ફરીથી તમામ રાજ્યોના મુખ્ય સચિવોને એક પત્ર જારી કરીને ચારધામ યાત્રાની વ્યવસ્થા કરવામાં સહકાર આપવા જણાવ્યું હતું. અપીલ કરવામાં આવી છે કે, તમામ રાજ્યોએ રજીસ્ટ્રેશન પછી જ યાત્રા શરૂ કરવા પ્રોત્સાહન આપવું જોઈએ. જેથી કરીને ભક્તો રજીસ્ટ્રેશન વગર તેમના રાજ્યોમાંથી બહાર ન જઇ શકે.
સરકારે ચારધામ યાત્રા પર આવતા તમામ યાત્રાળુઓ માટે નોંધણી ફરજિયાત કરી છે. હાલમાં, હરિદ્વાર અને ઋષિકેશમાં ઑફલાઇન રજિસ્ટ્રેશન પણ 31 મે સુધી બંધ છે. આવી સ્થિતિમાં હવે ભક્તો ઓનલાઈન રજીસ્ટ્રેશન બાદ જ ચારધામ યાત્રા પર આવી શકશે.
યાત્રાળુઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. મુખ્યમંત્રી પુષ્કર ધામીએ અધિકારીઓને ચારધામ યાત્રા પર આવતા શ્રદ્ધાળુઓની સુવિધાજનક મુસાફરીની વ્યવસ્થા કરવા પણ સૂચના આપી હતી. બુધવારે બદ્રીનાથ મંદિર પરિસરમાં રીલ બનાવવા બદલ 15 લોકોને ચલણ જારી કરવામાં આવ્યા હતા.
પોલીસે આઠ કલાક સુધી તેનો મોબાઈલ ફોન જપ્ત કર્યો હતો અને દંડ પણ વસૂલ્યો હતો. ચારધામમાં આ પ્રકારની પ્રથમ કાર્યવાહી છે. બુધવારે બદ્રીનાથ મંદિર પરિસરમાં કેટલાક લોકો મોબાઈલ ફોન પર વીડિયો બનાવી રહ્યા હતા. આના પર પોલીસે પોલીસ એક્ટ હેઠળ તમામના ચલણ કર્યા અને વ્યક્તિદીઠ 250 રૂપિયાનો દંડ પણ વસૂલ્યો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy