(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા.29
હળવદના વાંકિયા ગામે વાડી વિસ્તારમાં રહેતા અને મૂળ વડોદરા બાજુના રહેવાસી સુખરામભાઈ પ્રભુભાઈ પાંડવી જાતે આદિવાસી નામના 70 વર્ષના વૃદ્ધ હળવદના વાંકિયા ગામે શાંતિલાલભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતા હતા.દરમિયાનમાં તેઓના શરીર ઉપર ટ્રેક્ટર ફરી ગયું હતું જેથી તેઓને ગંભીર હાલતમાં મોરબીની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા અને ટૂંકી સારવાર દરમિયાન અત્રે તેઓનું મોત નીપજ્યું હતું.
હોસ્પિટલ ખાતેથી મોરબી એ ડિવિઝન પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી અને આ બનાવ હળવદ પોલીસ મથક વિસ્તારનો હોય બનાવ અંગે હળવદ પોલીસ મથકના અજીતસિંહ સિસોદીયાને જાણ કરી હતી.વધુમાં આ બાબતે અજીતસિંહ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, મૃતક સુખરામભાઈ પાંડવી મૂળ વડોદરાના રહેવાસી હતા અને હળવદના વાંકીયા ગામે શાંતિલાલભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતા હતા.તા.26-3 ના જમ્યા બાદ બપોરના તેઓ લીમડાના ઝાડ નીચે સુતા હતા અને તે દરમિયાન તેઓએ ઢાળ નજીક ટ્રેક્ટર પાર્ક કરીને મૂક્યુ હતુ.તેમાંથી કોઈ રીતે ટ્રેક્ટર રડ્યું હતું અને તેઓના ડાબા પડખાના ભાગે અથડાયું હતું અને અટકી ગયું હતું.
ડાબી પાંસડીમાં ઇજાઓ થવાથી તેઓને ગંભીર હાલતમાં અત્રે મોરબી સિવિલે લાવવામાં આવ્યા હતા.જોકે સારવાર કારગત નહીં નીવડતા તેઓનું મોત નિપજયુ હતું.તેઓને શ્વાસની બીમારી પણ હતી તેમ પોલીસ સૂત્રોએ વધુમાં જણાવેલ છે.
સગીર સારવારમાં
મોરબીના જીકયારી ગામે રહેતા અને મજૂરી કામ કરતા પરિવારના ભૂરીબેન પંડિશભાઈ બામણીયા આદિવાસી નામની 18 વર્ષીય પરિણીતાએ જીકીયારી ગામે વાડી વિસ્તારમાં કોઈ અગમ્ય કારણોસર દવા પી લીધી હતી.જેથી તેણીને અત્રેની સરકારી હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યા હતા.મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ લક્ષ્મીનગર ગામે રહેતા રવિ કાંતિભાઈ ભંખોડીયા નામના 16 વર્ષના સગીરને બાઈકની પાછળ બેસીને જતા સમય વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy