રાજકોટ,તા.28
બૌધ્ધ ઉપાસક ઉપાસિકા સંઘ દ્વારા સુગમ ગૌત્તમ બુધ્ધ વિહાર ખાતે ફાલ્ગુન માસ બુધ્ધ પૂર્ણિમા ઉત્સવ યોજાયો હતો. જેમાં વંદનીય ભંતે પ્રજ્ઞારત્ન થેરો એ બૌધ્ધ ધર્મમાં ફાલ્ગુન માસનું મહત્વ પર ધમ્મદેશના આપી હતી. આ તકે અશોકભાઈ ચાવડાએ વિશ્વ લેવલે બૌધ્ધ ધર્મના અવશેષોના પુરાવા સાથેની માહિતી આપી હતી તેમજ રત્નદીપ શાક્યએ વિપશ્યના ધ્યાન કરાવ્યું હતું. આ તકે કણકોટ બુધ્ધ વિહારના સંચાલક મોહનભાઈ રાખશિયા અને સી.જી. પડાયાને પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન સુમેધ તથાગતએ કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સુમેધ તથાગત, અમુભાઈ સોલંકી, જગદીશભાઈ સોલંકી, નિલેશ ગોહિલ, દિયા શાક્ય સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy