ઉપલેટા,તા.13
સિધ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 24 વર્ષથી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ થઈ રહેલ છે. તે અંતર્ગત આજરોજ (ગૌધુલીક લગ્ન પ્રસંગો) સર્વજ્ઞાતિય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ જે એપલગ્રીન પાર્ટી પ્લોટ ખાખીજાળીયા રોડ ઉપલેટા ખાતે સમ્પૂર્ણ સાસ્ત્રોક્ય વિધિ દ્વરા 15 દંપતી પ્રભુતા માં પગલા માંડ્યા દરેક દંપતીને ક્ધયાદાન એશિયન ફાઉન્ડેશન ઓફ યુકે પ્રજ્ઞાબેન રાજા દ્વારા 27 જેટલી જીવન જરૂરિયાતો વસ્તુ આપવામાં આવી તેમજ ઉપલેટા શહેરના શ્રેષ્ટી દ્વારા અન્ય 14 જરૂરિયાત વસ્તુ આપવામાં આવી તેમ દીકરીને 40 ક્ધયાદાનની જીવન જરૂર વસ્તુ આપવામાં આવી આ સમૂહ લગ્નમા બેન્ડવાજા સાથે બાપુના બાવલા ચોક ખાતે વરઘોડાનું પ્રસ્થાન થયેલ. જે રાજમાર્ગ પર ફરેલ અને ગૌધુલીક સમય અનુસાર લગ્નવિધિ પૂર્ણ શાસ્ત્રોક્ત વિધિથી સંપન કરવામાં આવેલ જેમાં મુખ્ય આચાર્યપદે પ્રખર શાસ્ત્રી રાજુભાઈ પી. જોષી બિરાજમાન રહેલ આ ધર્મોત્સવમાં નારાયણ સ્વરુપદાસ સ્વામી દ્રારા 15 દંપતીએ આશીર્વાદ પ્રાપ્ત કર્યા
તેમજ આ સમુહ લગ્નમા ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી આરોગ્ય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયા, પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા જુનાગઢ ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા,જીલ્લા મહામંત્રી રવિભાઈ માકડીયા,માજી ધારાસભ્ય પ્રવીણભાઇ માકડીયા, ઉદ્યોગ પતી દિનેશભાઈ અમ્રુતીયા, હકુભા વાળા,જામનગર બાર કાઉન્સલર ના પ્રમુખ ભરતભાઈ સુવા તેમજ ઉપલેટા આર્ટ ઓફ લિવિંગ ના કિરણબેન સુવા સુનિલભાઈ ધોળકિયા અમરેલીના હસુભાઈ જોષી.અશ્વિનભાઈ ત્રિવેદી જુનાગઢ નોબલ યુનિવર્સિટીના પંડ્યા સાહેબ જુનાગઢ વેપારી અગ્રણી હસુભાઈ જોશી,અશોકભાઈ શેઠ ગુણવંતભાઈ રાણીગા, મયુરભાઈ સુવા (પૂર્વ પ્રમુખ ન.પા.ઉપલેટા) ,દાનભાઈ ચંદ્રવાડીયા,ગોપાલભાઈ ઝાલાવડીયા, તેમજ શહેર નાં શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહેલ હતા આ વહાલુળીના વિવાહના આયોજનને સફળ બનાવવા સિધ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ત્રિવેદી,રાજુભાઈ ત્રિવેદી, નીલુભાઈ ગોંધિયા, ભાદાભાઇ બોરખતરીયા, ભાવેશભાઈ સુવા, વિક્રમસિંહ સોલંકી, જગદીશભાઈ પૈડા, સતીશભાઈ સોજીત્રા, મનુભાઈ બારોટ, કાનાભાઈ ચનાબાબરા,સંજયભાઈ મુરાણી, સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy