(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 27
વઢવાણના પૂર્વ ધારાસભ્યનું તાજેતરમાં અવસાન થયું હતું આથી તેમના પરિવારજનોને સાંત્વના પાઠવવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ વઢવાણ આવ્યા હતા. જ્યાં તેઓએ સુરેન્દ્રનગર જિલ્લા કાર્યાલય ખાતે કાર્યકરો સાથે વાતચીતમાં ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. ભાજપ બે કરોડ નોકરીઓની ગેરંટી આપે છે તેનો ભરતી મેળો કરવો જોઇએ. ભાજપના કાર્યકરો કહે છે કે આયાતી આગેવાનોને ટિકિટો, હોદ્દા આપે છે અમારે તો ફક્ત ગાભા જ ભારવાના છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ વઢવાણના પૂર્વ ધારાસભ્ય નંદકિશોરભાઇ દવેનું અવસાન થતા તેમના પરિવારજનોને સાંત્વના પાઠવવા વઢવાણ આવ્યા હતા. જેમાં વઢવાણ ખાતે વિક્રમભાઇ દવેના ઘરે જિલ્લા પ્રમુખ નૌશાદ સોલંકી, શહેર પ્રમુખ મહેન્દ્ર પરમાર સાથે બેઠા હતા. બાદમાં સુરેન્દ્રનગરના કાર્યકરો સાથે બેઠક કરી જણાવ્યું કે ભાજપે બે કરોડ નોકરીઓ દર વર્ષે આપવાની ગેરંટી આપી હતી. ત્યારે નોકરીઓ માટે ભરતી મેળો કરવો જોઇએ તેના બદલે કોંગ્રેસી કાર્યકરોનો ભરતી મેળો કરે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy