કોર્ટમાં પરસોત્તમભાઈ રૂપાલા સાથે ફરિયાદ દાખલ કરાવનાર આદિત્યસિંહ ગોહિલે આદિત્યસિંહે જણાવ્યું કે, પરષોત્તમભાઈનો વીડિયો વાઇરલ થયો પછી સોશ્યલ મીડિયામાં ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા વિરોધ નોંધાવ્યો છે. હું લાઠી સ્ટેટના ભાયાત પરિવારમાંથી આવું છું. મને પણ પરસોત્તમભાઈના નિવેદનથી ખૂબ દુ:ખ થયું છે. ક્ષત્રિય સમાજે રજવાડા સોંપી દીધા અને અખંડ ભારત થયું.
આજે દેશનું જે વિકાસ છે તેમાં ક્ષત્રિય સમાજના બલિદાન, યોગદાન રહ્યું છે. પરસોત્તમભાઈએ મત મેળવવા આ હીન પ્રયાસ કર્યો છે. કોઈ પણ સમાજ વિશે ઘસાતું ન બોલવું જોઈએ. જે પછી મેં ગઈકાલે કોર્ટમાં પિટિશન દાખલ કરી. હાલ ઇન્કવાયરી સ્ટેજે કોર્ટે સ્વીકાર કર્યો છે. આગામી 15 તારીખે સાક્ષી પુરાવા સાથે હાજર રહેવા હુકમ કર્યો છે.
આગેવાનોનીબેઠક અંગે આદિત્યસિંહે કહ્યું કે, હાલ આ લડત આક્રમક રીતે ચાલી રહી છે. સમાધાનની કોઈ વાત નથી. ક્ષત્રિય સમાજ આગામી દિવસોમાં આક્રમક રીતે વિરોધ કરશે. ગઈકાલે અમદાવાદ ગોતામાં 70 સંસ્થાઓની બેઠક મળી હતી. આ લડતની આગેવાની રાજકારણી કે ઉદ્યોગપતિ નથી કરતા, ક્ષત્રિય સમાજના યુવાનોની આગેવાનીમાં લડત છે. સમાધાનની કોઈ વાત નથી. ક્ષત્રિય સમાજ પીછેહઠ નહીં કરે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy