સુલતાનપુર (ઉત્તરપ્રદેશ) તા.2
રાહુલ ગાંધીને માનહાનીના કેસમાં સુલતાનપુરની એમપીએમએલએ કોર્ટમાં હાજર થવાનું ફરમાન જાહેર થયું છે, જેના સંદર્ભમાં રાહુલના વકીલે જજને જણાવ્યું હતું કે હુજુર, હાલ સદનની કાર્યવાહી ચાલી રહી છે, પછી બજેટ રજૂ થશે તો 26 જુલાઈની તારીખ આપો, રાહુલ ગાંધી ન્યાયાલયમાં જરૂર હાજર થશે.
ફરિયાદીના વકીલ સંતોષ પાંડેએ જણાવ્યું હતું કે જામીન કરાયા બાદ આરોપી રાહુલ અનેકવાર કહેવા છતા હાજર નથી થઈ રહ્યા. તેમને અંતિમ અવસર અપાયો તેમ છતાં હાજર ન થયા હવે તેમની ધરપકડ કરવામાં આવે.
જેના પર રાહુલના વકીલ કાશીપ્રસાદ શુકલે ઉપરોકત વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે બેંગ્લુરૂમાં એક ચૂંટણી સભામાં રાહુલે અમિત શાહને લઈને અભદ્ર ટિપ્પણી કરી હતી જેની સામે ભાજપ નેતા વિજય મિશ્રાએ ઓગસ્ટ 2018માં કેસ કર્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy