રાજકોટ,તા.24
રાજકોટ જય જિનેન્દ્ર આરાધના ભવન ખાતે બીરાજમાન ઉત્તમ પરિવાર - સૂર્ય - વિજય પરિવારના સાધ્વી રત્ના પૂ.ધર્મિષ્ઠાબાઈ મ.સ.24/5 શુક્રવારે સવારે લગભગ 5:00 કલાકે સમાધિ ભાવે કાળ ધર્મ પામેલ છે જુનાગઢ જિલ્લાના લાઠ - ભિમોરા નિવાસી રત્નકુક્ષિણી માતુશ્રી કાન્તાબેન અને પ્રેમાળ પિતા ચુનીભાઈ જેઠાલાલ દેસાઈ પરિવારમાં તેઓનો જન્મ થયેલ.
24 વર્ષની ભર યુવાન વયે વિ.સં.2028 વૈશાખ સુદ તેરસના દિવસે રાજકોટ ખાતે ગોંડલ ગચ્છ શિરોમણી પૂ.ગુરુદેવ જશરાજજી મ.સા.ના શ્રી મુખેથી કરેમિ ભંતેનો પાઠ ભણી સંયમ અંગીકાર કરેલ.નિત્ય હજારો ગાથાઓની સ્વાધ્યાય કરતાં અને સૌને કરાવતા.ગુરુણી મૈયા સૂર્ય - વિજય પરિવાર તથા પૂ.ભાનુબાઈ મ.સ. પાસે આગમનો ગહન અભ્યાસ કરેલ.અનેક શાસ્ત્રો કંઠસ્થ કર્યાં. તત્વ અને થોકડામા ખૂબ જ રૂચિ ધરાવે.આઠ વખત વર્ષી તપની આરાધના કરેલી.અનેક નાની - મોટી તપ સાધના ચાલુ જ હોય.નિત્ય બિયાસણા તપ કરતાં.76 વર્ષના માનવ જીવનમાં 52 વર્ષ સુદીર્ધ સંયમ જીવનનું રૂડી રીતે પાલન કર્યું.
તેઓના સંસારી વડીલ બંધુ બિપીનભાઈ દેસાઈ એ જણાવ્યું કે તેઓનુ ગત ચાતુર્માસ ગુરુણી મૈયા પૂ.ભાનુબાઈ આદિ સતિવૃંદ સાથે રાજકોટ સરદાર નગર સંઘ ખાતે હતું.પૂ.ધર્મિષ્ઠાબાઈ મ.સ.ખૂબ જ સરળ અને ભદ્રિક.સેવાભાવી અને વૈયાવચ્ચ પ્રેમી.દર્શનાર્થીઓને અચૂક માંગલિક ફરમાવે.
પાલખી:-
જય જય નંદા,જય જય ભદ્દા ના જયઘોષ સાથે તેમની પાલખી યાત્રા જય જિનેન્દ્ર, જન કલ્યાણ સોસાયટીથી શુક્રવારે સવારે 9 કલાકે શરુ થઈ રામનાથ પરા મુક્ત મુક્તિ ધામ ખાતે અંત્યેષ્ઠિ વિધી માટે લઈ જવામાં આવેલ અને અંતિમ વિધિ કરાઈ હતી.આ પ્રસંગે જૈન અગ્રણી ઓ જોડાયા હતાં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy