જૂનાગઢ, તા.28
જૂનાગઢની એચડીએફસી બેંકમાં કેશટેલર અને ટેલર ઓથોરાઇઢર તરીકે નોકરી કરતા રાજ યોગેશભાઇ મણીયાર રહે. નોબલ ટાવર, નહેરુ પાર્ક સોસાયટી, જુનાગઢ સામે સી-ડીવીઝન પોલીસમાં ફરિયાદ બેન્ક તથા બેન્કના ગ્રાહકો સાથે છેતરપીંડી આચરવાના બે ગુના નોંધાયા હતા જેમાં હાલ તે જેલ હવાલે છે.
એક ગુનામાં 15,28,000ની અને બીજામાં 83,00,200ની રકમની છેતરપીંડીની ફરિયાદ નોંધાઇ છે તેના વકીલે એક ગુનામાં એવું કારણ આપ્યું હતું કે ફરિયાદી રૂા.15,28,000માંથી પોતે 13,28000 ચુકવી પણ દીધા છે. હવે રૂા.2 લાખ ચુકવવાના બાકી છે.
આમ છતાં ખોટી ફરિયાદમાં સંડોવી દેવાયો છે આથી તેને જામીન મુક્ત કરવાની માંગણી કરી હતી. બીજા ગુનામાં જણાવ્યા મુજબ આટલી મોટી ફરિયાદ કરેલી છે કે ફરિયાદી માટે ઘાતક ગણી શકાય કારણ કે પોતાની સામે અન્ય પ્રકારની પ્રાઇવેટ ફરિયાદ છે એટલે કે એક જ બનાવની જુદી જુદી ફરિયાદ થઇ છે પોતાના સિવાય 30 કર્મીઓ બ્રાન્ચ મેનેજર નીચે કામ કરે છે જેમાં ક્યાં કર્મીએ કૌભાડ કર્યું છે તે કહેવું મુશ્કેલ છે. બ્રાન્ચ મેનેજરે બીજા આરોપીના કહેવાથી ખોટી રીતે સંડોવી દીધેલ છે. બ્રાંચ મેનેજર પોતે કૌભાંડમાં ફસાઇ ન જાય તે માટે પોતાને ફસાવી દીધો છે.
સરકારી વકીલ નીરવ પુરોહિતએ દલીલ કરી હતી કે જો તેને જામીન મુક્ત કરવામાં આવશે તો સમાજ ઉપર ખોટી ખરાબ અસર પડશે. કોર્ટે પણ નોંધ્યું હતું કે જો આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવે તો પુરાવા સાથે ચેડા કરી શકે છે અથવા નાશ કરી શકે છે જે વકીલ પર બેન્ક ભરોસો કરી આટલી મોટી રકમ તેના પર છોેડે છે એ જ વ્યકિતએ બેન્ક સાથે દગો કર્યો છે આથી પાંચમા એડીશ્નલ સેશન્સ જજ આર.ડી. પાંડેએ જામીન અરજી ફગાવી દીધી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy