રાજકોટ તા.28
તાજેતરમાં આરોપી શાહરુખ રાજા અલ્લારખાભાઈ જુણેજા રહે. જામનગર રોડ, હુડકો કવાર્ટર વાળા સામે થયેલ ખંડણી માણવાના કેસમાં જામીન અરજી થતા નામદાર સેશન્સ ઉર્ફે આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે.
બનાવની ટુંક હકીકત મુજબ ગઈ તા.2/8/20ના સાંજના સમયે તા.3/8/20ના સાંજના સમયે આ કામના ફરિયાદી સુરજ રાજેશભાઈ (રહે.હંસરાજનગર) તથા સાહેદ શુભમ દવે (રહે. હંસરાજનગર) બંનેને આરોપી તથા અન્ય આરોપીઓએ કારમાં અપહરણ કરી અને હાલના આરોપીએ છરી બતાવી ધમકી આપેલ અને ગેરકાયદેસર અટકાયતમાં રાખી રૂા.100000નું ખોટું લખાણ અન્ય આરોપી ઈમરાન જે મોટી ટાંકી પાસે ઓફીસ ધરાવે છે ત્યાં લઈ જઈ જબરદસ્તીથી લખાણ કરાવી લીધેલ અને આ બનેલ બનાવમાં હાલના આરોપી શાહરુખ સહીત કુલ 6 લોકો સામે ખંડણી માંગવા બાબતેની ફરિયાદ પ્રનગર પોલીસમાં નોંધાયેલી. બનાવ બાદ હાલનો આરોપી લાંબો સમય સુધી ફરાર રહેલો.
તપાસ બાદ ચાર્જશીટ કોર્ટમાં રજૂ થઈ ગયેલ. કેસ ચાલવા ઉપર આવેલ એ તબકકે આરોપી શાહરુખ જે નાસતો ફરતો હોય અને મર્ડરના ગુનામાં પેરોલ પણ જમ્પ કરેલ હોય અને બીજા જીલ્લાની પોલીસના સકંજામાં આવી જતા રાજકોટ પોલીસે તેનો કબજો લીધેલ અને આરોપી શાહરુખે જામીન પર છુટવાની અરજી કરેલ.જામીન અરજીના કામે બંને પક્ષોને સાંભળ્યા બાદ હાલના આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી દીધેલ છે. આ કેસમાં સરકાર પક્ષેથી એપીપી મહેશકુમાર જોષીએ દલીલો કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy