વિશ્વ ગ્રાહક દિનની ઉજવણી

Local | Jamnagar | 28 March, 2024 | 02:55 PM
સાંજ સમાચાર

જામનગર તા.28

જામનગર ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા  વિશ્વ ગ્રાહક દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી.આ તકે મડળના મંત્રી  કિશોરભાઈ પી. મજીઠીયા દ્વારા જાગો ગ્રાહક જાગો તેમજ ગ્રાહકના અધિકારો અને હકકો અંગે વિસ્તૃત માહિતી આપેલ હતી

જામનગર ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા જણાવવામાં આવેલ કે, અત્યાર સુધી અસંખ્ય ટી.વી. મોબાઈલ, વોશીંગ મશીન, ફિઝ જેવા અનેક ગ્રાહકોને નિ:શુલ્ક ન્યાય અપાવી ઈલેકટ્રોનીક આઈટમ બદલાવી આપેલ. સંસ્થા દ્વારા ગ્રાહકો પાસેથી કોઈપણ પ્રકારે દાન ડોનેશન કે ફંડ લેવામાં આવતુ નથી. ફક્ત નિ:શુલ્ક સેવાકિય પ્રવૃતિઓ કરાય છે. ગ્રાહકો એ પણ જાગૃત બની ઓન લાઈવચીજ-વસ્તુના ખરીદવા અપીલ કરવામાં આવે છે. ઓનલાઈન કેસોમાં ગ્રાહકો સસ્તા માલ સામાનની લાલચે ફોડ નાં ભોગ બને છે.

ડોક્ટરો-હોસ્પીટલો લેબોરેટરીઓમાં તપાસ કરાવતી વખતે ગાંહકો બીલ-પહોંચ લેવી જરૂરી છે. જેથી ડોકટર્સ-લેબોરેટરી હોસ્પીટલનાં બેદરકારીનાં કેસમાં કાનુની લડત કરી ન્યાય મેળવી વળતર મેળવી શકાય. તેમજ દરેક ડોકટર્સ પાસે થી જેનરીક સસ્તી દવા લખાવાનો આગ્રહ રાખો જેથી આરોગ્યના ખર્ચાઓ ઓછા થાય. સરકાર દ્વારા પણ જેનરીક મેડીકલ સ્ટોર્સ ખોલવામાં આવેલ છે.

કોઈપણ ગ્રાહક જયારે હોટલ,રેસ્ટોરન્ટ,લોજ માં જમવા જાય ત્યારે ખોરાકની શુધ્ધતા ચકાસવી,રસોડું પારદર્શક હોવુ જોઈએ. મેનુ કાર્ડ માં કિંમતની સાથે ખોરાકનું વજન દર્શાવેલ હોવું જોઈએ, વજન કાંટી હોવો જોઈએ. આ બધી સુવિધાઓ સરકારે કરેક હોટલો માટે ફરજયાત બનાવી છે. ગ્રાહકો એ પણ જાગૃત બની સરકારી કાયદાઓ સુવિધાઓનો લાભ લેવાં અનુરોધ કરવામાં આવે છે.

કોઈપણ હોટલ રેસ્ટોરન્ટ, લોજમાં  જમવામાં કે અનાજ, કરીયાલમાં ગ્રાહકને કોઈપણ પ્રકારની ભેળસેળ જણાય તો ફોટા પાડીબીલ સાથે  સંસ્થા ગ્રાહક સુરક્ષા મંડળને જાણ કરવી જેથી અમારી સંસ્થા દ્વારા ભેલ સેળ અંગેની સરકારમાં ફરજીયાત કરી સ્થળ ઉપર સેમ્પલ લેવડાવી લેબોરેટરીમાં ચકાસણી કરાવશે. અમારી સંસ્થાના ઉદ્દેશ શક્ત ગ્રાહકોને શુધ્ધ ચીજવસ્તુ અને શુધ્ધ આહાર મળે તે માટે સતત પ્રયત્નશીલ હોય છે.

તેમજ મંડળના સહદેવ આર.મકવાણાએ જણાવેલ કે, ગ્રાહકોએ પોતાના હકક અને અધિકાર માટે ગ્રાહકોએ જાગૃત બનવું જોઈએ અને દરેક ગ્રાહકે કોઈપણ ચીજવસ્તુ કે સેવા લેતા પહેલા પાકુ બીલ લેવું જોઈએ જેથી માલ કે સેવામાં કોઈપણ પ્રકારે ખામી જણાયે તે સામે યોગ્ય વળતર મેળવી શકાય.
મંડળના સભ્યોએ વિશ્વ ગ્રાહક દિવસે ગ્રાહકોમાં જાગૃતિ લાવવા માટે બેડીગેટ, નાગેશ્વર વિસ્તાર, બર્ધનચોક, ગુલાબનગર, ખોડિયાર કોલોની, પટેલ કોલોની, નવાગામ ઘેડ, દરેડ વિગેરે વિવિધ વિસ્તારમાં ગ્રાહકોમાં જાગૃતિ લાવવા માટે ગ્રાહકોના હકકો અને અધિકારોની વિગતો દર્શાવતી ગ્રાહક જાગૃતિ પત્રિકાનું વિતરણ કરેલ હતું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj