(ધર્મેશ કલ્યાણી) જસદણ તા.26
જસદણ શહેરમાં કોરોના કાળથી અવિરત સેવાકાર્ય કરતી બિન રાજકીય સંસ્થા નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જસદણ દ્વારા કોરોના મહામારીમાં લોકોને મદદરૂપ થવાના શુભ સંકલ્પ સાથે ટ્રસ્ટના પ્રમુખ મેહુલભાઈ સંઘવીએ સંસ્થાની સ્થાપના સાથે સેવાયજ્ઞની જ્યોતને પ્રજ્વલિત કરી સંસ્થાના નિ:સ્વાર્થ સેવાકાર્યોમાં કોરોનાગ્રસ્ત અનેક દર્દીઓ અને જરૂરીયાતમંદ પરિવારોને રાશનકીટ આપી મદદરૂપ થવામાં અને જસદણ સરકારી હોસ્પિટલમાં ડોકટરો અને સ્ટાફ સાથે સંકલન કરી સામે ચાલીને સહયોગ આપનાર દાતાશ્રીઓના સહયોગથી અનેકવિધ જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં અકલ્પનિય સફળતાઓ હાંસિલ કરી છે. હાલ સંસ્થાના દ્વારા સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને દરરોજ નાસ્તો આપવો, શિયાળામાં ગરીબ ભિક્ષુકોને ગરમ વસ્ત્રો આપવા અને તહેવારોના દિવસોમાં ગરીબ પરિવારોમાં મિઠાઈનુ વિતરણ કરવુ જેવા મુખ્ય સેવાકાર્યો કરવામાં આવી રહ્યાં છે.
જસદણ - વિંછીયા પંથકથી લઈને રાજ્યકક્ષા સુધીની અનેક નામાંકિત સંસ્થાઓ દ્વારા નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જસદણના નિ:સ્વાર્થ સેવાકાર્યોથી પ્રભાવિત થઈ જાહેર કાર્યક્રમોમાં વિવિધ એવોર્ડ અને સન્માનપત્રોથી સંસ્થાને સન્માનિત કરેલ છે.
સંસ્થાના પ્રમુખ મેહુલભાઈ સંઘવી અને ક્ધવીનર દિનેશભાઈ વેકરીયાએ જણાવ્યું હતુ કે ગરીબ દર્દીઓ અને જરૂરીયાતમંદ લોકોને વધુ મદદરૂપ થવા તેમજ સંસ્થાના નિ:સ્વાર્થ સેવાકાર્યોને વેગવંતુ બનાવવા માટે આગામી દિવસોમાં નવુ આયોજન કરવામાં આવશે જેમા શહેરના બિનરાજકીય સેવાભાવીઓને સંસ્થામાં સ્થાન આપી નિ:સ્વાર્થ સેવાકાર્યોમાં સક્રિય કરવામાં આવશે. સંસ્થાના ટ્રસ્ટીઓ હર્ષાબેન ચાવડા, ડિમ્પલબેન સંઘવી, વલ્લભભાઈ જીંજુવાડીયા, ભાવેશભાઈ વાલજીભાઈ છાયાણી, અશોકભાઈ ઠકરાળ, રશ્મિનભાઈ શેઠ, પુનમબેન ઠકરાળ, ચંદ્રેશભાઈ જયસ્વાલ, ખુશાલભાઈ રામાણી, નિશીત એમ. સંઘવી સહિતના સદસ્યો નિ:સ્વાર્થ સેવાકાર્યોમાં પૂરતી સક્રિયતા દાખવી રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy