આરોગ્ય નિષ્ણાંતોની સરકારને વિનંતી: 2025 સુધીમાં ટીબી મુકત ભારત પ્રાપ્ત કરવા માટે તમાકુ નિયંત્રણ કાયદાઓને મજબૂત બનાવો

Local | Rajkot | 28 March, 2024 | 03:32 PM
ટીબી અને તમાકુના વપરાશ વચ્ચે પરસ્પર સંબંધ હોવાથી તમાકુના ઉત્પાદનો પર કરવેરા વધારવાની તાતી જરૂર
સાંજ સમાચાર

રાજકોટ, તા.28

વિશ્વ ટીબી દિવસ 24 મી માર્ચે ઉજવી રહ્યા છે, ત્યારે ક્ષય રોગ સામેની લડાઈમાં ભારત મોખરે છે. જે દેશમાં સતત જાહેર આરોગ્યનો પડકાર છે. વર્ષ 2025 સુધીમાં ટીબીને નાબુદ કરવાના વિઝન સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ મહત્વપૂર્ણ સમસ્યાનું સમાધાન કરવા માટે એક વિસ્તૃત વ્યૂહરચનાની રૂપરેખા આપી છે.

તાજેતરના ડેટા સૂચવે છે કે દર વર્ષે, વૈશ્વિક સ્તરે 10.6 મિલિયનથી વધુ વ્યકિતઓને ટીબીનો ચેપ લાગે છે. જેના પરિણામે એકલા 20રર માં જ અંદાજે 1.30 મિલિયન લોકો મૃત્યુ પામ્યા હતા. ભારત આ બોજનો નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. જે વૈશ્વિક કેસોમાં આશરે 27% ફાળો આપે છે. દર 1.00.000 લોકો દિઠ 133 નવા કસ નોંધાતાં તાત્કાલીક પગાલ લેવા અનિવાર્ય છે. ભારતમાં ટીબીને લગતા મૃત્યુની સંખ્યા નોંધાપાત્ર રીતે વધારે છે. જે પરિસ્થિતિની ટીબીને વર્ષ 2025 સુધીમાં નાબૂદ કરવાની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની મહત્વાકાંક્ષી દ્રષ્ટિ આ સમસ્યાનું વિસ્તૃત સમાધાન કરવાની સરકારની કટિબધ્ધતા દર્શાવે છે.

આ લક્ષ્યાંક હાંસલ કરવા માટે તમાકુ નિયંત્રણ કાયદાઓને મજબૂત બનાવવાની ટીબી અને તમાકુના વપરાશ વચ્ચે પરસ્પર સંબંધ હોવાથી તમાકુના ઉત્પાદનો પર કરવેરા વધારવાની તાતી જરૂર છે. જાહેર સ્થળોએ ઘૂમ્રપાન પર પ્રતિબંધ અને જાહેરાત નિયંત્રણો સહિતના કડક તમાકુ નિયંત્રણ પગલાંઓને અમલ કરીને ભારત ટીબીની ઘટનાઓ અને મૃત્યુ દર પર તમાકુના ઉપયોગની અસરને ઘટાડી શકે છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj