રાજકોટ,તા.28
આ કેસની હકીકત જોઈએ તો ફરિયાદી શીવાજ્ઞા ટ્રેડલીંકનાં માલિક દીવ્યરાજસિંહ નરેન્દ્રસિંહ વાઘેલા એ તેની ઓફીસના ફર્નીચર કામ માટે આરોપી એ.એમ.ગ્લાસનાં માલિક અલીઅસગર અબ્બાસઅલી ત્રિવેદીને ફર્નીચર કામ માટે એડવાન્સ રકમ આપેલ હતી. પરંતુ આરોપીએ એડવાન્સ રકમ સ્વીકાર્યા બાદ ફનીર્ર્ચર કામ કરી આપેલ નહી
એડવાન્સ રકમની પરત માંગણી કરતાં આરોપીએ તે રકમ ચુકવવા આ ચેક ફરિયાદીને આપેલ ચેક ફંડ્સ ઈન્સ્ફીસ્ટન્ટનાં શેરા સાથે પરત કરેલ.તેથી ફરિયાદી દિવ્યરાજસિંહ વાઘેલાએ તેના વકીલ મારફત આરોપીને નેગો.ઈસ્ટ્ર.એકટ હેઠળ નોટીસ પાઠવેલ અને ત્યારબાદ રાજકોટ કોર્ટમાં કેસ કરેલ. જે અંગે કોર્ટે આરોપીને નોટીસ કાઢેલ તે નોટીસ આરોપીને બજતા આરોપી કોર્ટ સમક્ષ હાજર થઈ ફરિયાદીની લેણી તથા ચેક મુજબની રકમ કોર્ટમાં કરાવી આપી હતી.આ કેસમાં ફરિયાદી તરફે વકીલ તરીકે રાજકોટના બુદ્ધદેવ એસોસિએટ્સ સીનીયર એડવોકેટ નરેન્દ્ર ડી બુદ્ધદેવ તથા યુવા એડવોકેટ ડોલી બુદ્ધદેવ અને વિષ્ણુ એન.બુદ્ધદેવ રોકાયેલ હતા તેમજ તેમની સાથે મદદમાં શ્રેયા વી.બુદ્ધદેવ રોકાયેલ હતાં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy