(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.29
મોરબી નજીકના શનાળા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું વર્ષ 2019 માં અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જે કેસ સ્પેશ્યલ જજ અને એડિશનલ સેસન્સ જજની કોર્ટે ચાલી જતાં આરોપીને 12 વર્ષની સજા અને 20 હજારનો દંડ કરેલ છે અને આ કેસમાં આરોપીના બનેવીને શંકાનો લાભ આપી છોડી મુકવામાં આવેલ છે
આ કેસની સરકારી મદદનીસ વકીલ પાસેથી મળતી માહિતી મુજબ શનાળા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું વર્ષ 2019માં આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે અતુલ નટવરલાલ પંડ્યાએ અપહરણ કરી નવલખી રોડ ઉપર આવેલ ચરમરીયાદાદાના મંદિર નજીકના વિસ્તારમાં લઈ ગયા બાદ આરોપીના બનેવી બિપિન પ્રવીણભાઈ રત્નોતરે તેઓને રૂમની વ્યવસ્થા કરી આપી હતી અને આરોપી ધર્મેન્દ્ર પંડ્યાએ સગીર હોવાનું જાણતો હોવા છતાં પણ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને સગીરાની માતાએ તે અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેના આધારે ગુનો નોંધીને પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી.
આ કેસ મોરબી સ્પેશ્યલ જજ અને એડિશનલ સેસન્સ જજની કોર્ટેમાં ચાલી જતાં મદદનીસ સરકારી વકીલ નીરજ ડી. કરિયાએ કરેલ દલીલો અને 16 મૌખિક
તેમજ 25 દસ્તાવેજી પુરાવા ધ્યાને લઈને આરોપી ધર્મેન્દ્ર પંડ્યાને કોર્ટે 12 વર્ષની સજા અને 20 હજારનો દંડ કર્યો છે અને આરોપીના બનેવીને મદદગારી બદલ શંકાનો લાભ આપી છોડી મુકવાનો આદેશ કોર્ટે કરેલ છે તેમજ ભોગ બનેલ સગીરાને 3 લાખની વળતર વિકટીમ કંપન્સેશન સ્કીમ હેઠળ આપવાનો હુકમ કરેલ છે અને જો આરોપી દંડ ભરે તે રકમ પણ ભોગ બનેલ સગીરાને આપવા હુકમ કરેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy