જામનગર તા.28:
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડિયા ગામે વાડીમાં કૂવો ખોદતી વેળાએ અકસ્માતે કૂવાની ભેખડ પડતા પરપ્રાંતિય યુવાનનું મોત નિપજ્યાનું સામે આવ્યું છે.
આ બનાવ અંગેની કાલવાડ ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયેલી વિગત મજબ કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડિયા ગામે ગીરવંતસિંહ જાડેજાની વાડીએ પાણીનો કૂવો ખોદવાનું કામ ચાલુ હતું. દરમિયાન ગત્ તા.11ના રોજ કૂવો ખોદવાનું કામ કરતાં મૂળ રાજસ્થાનના રાજસબંધ જિલ્લાના કેલવાડા તાલુકાના મજેરા ગામે રહેતા પરપ્રાંતિય મજૂર લાલરામ હજારીરામ ભીલ (ઉ.વ.22) નામનો યુવાન કૂવામાં ઉતરી કામ કરતો હતો.
ત્યારે અકસ્માતે માટીની ભેખડ ઘસી પડતાં યુવાનને ગંભીર ઇજા થવા પામી હતી. માથાના ભાગે અને શરીરના ભાગે થયેલી ઇજા જીવલેણ નિવડતા લાલરામે હોસ્પિટલ બિછાને આખરી શ્ર્વાસ ખેંચ્યા હતાં. જેને લઇને પરતારામ ત્રીલોકરામ ભીલએ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધર છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy