રાજકોટ, તા.28
સોની બજારના પ્રખ્યાત વેપારી સાથે રૂ.28 લાખની ઠગાઈ કર્યાના ગુનામાં આરોપીના જામીન મંજુર થયા છે. ઘનશ્યામ મહેતાએ નિરજ પરમાર સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
કેસની વિગત મુજબ, આરોપી નીરજ અમરભાઈ પરમાર રાજકોટની સોની બજારમાં વેપાર ધંધો કરે છે અને મોરબી રોડ પર સેટેલાઇટ ચોકમાં પંચવટી પાર્કમાં રહે છે. તે ફરિયાદી વેપારી ઘનશ્યામભાઈ મહેતાના પરિચયમાં આવતા ફરિયાદીને કેરેલામાં સોનાની મોટી ફેકટરીમાં રોકાણ કરવું છે તેમ કહીં રૂ.28 લાખ લીધા હતા. પછી રકમ પરત કરી નહોતી.
જેથી ફરિયાદીએ ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ આપતા આઇપીસી 420, 406, 120 (બી) મુજબ ગુનો નોંધી પોલીસે તેની ધરપકડ કરી હતી. જેલ હવાલે થતા આરોપીએ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જેમાં આરોપીના વકીલે દલીલ કરી હતી કે, આરોપીની ઉંમર 21 વર્ષ છે. સોની બજારમાં વેપારી પેઢી ધરાવે છે. રાજકોટના રહીશ છે ક્યાંય નસીભાગી જાય તેમ નથી.
સાથે વિવિધ કોર્ટના ચુકાદા ધ્યાને લઇ એડી. સેશન્સ જજ જે.આઈ. પટેલએ રૂ.25000ના જામીન ઉપર આરોપીને મુક્ત કરવા હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપી તરફે સિનિયર એડવોકેટ હર્ષદકુમાર એસ. માણેક, સોનલબેન બી. ગોંડલીયા અને જાગૃતિબેન કેલૈયા રોકાયેલા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy