રાજકોટ, તા.28
રાજકોટના પદ્માવતી જ્વેલર્સના પ્રોપરાઇટર ફરિયાદી હર્ષદકુમાર તારાચંદ શાહ અને વડોદરાના મહાલક્ષ્મી જવેલર્સના પ્રોપરાઇટર આરોપી ગીતાબેન બાલકૃષ્ણ સોની અવાર-નવાર ચાંદીના દાગીનાનો વેપાર કરતાં હતા. જેના આખરી હિસાબ પેટે આરોપીએ રૂ.5,51,000 નો ચેક રિટર્ન આપેલો આ ચેક રિટર્ન થતા રાજકોટની કોર્ટમાં ફરિયાદ નોંધાઇ હતી.
કોર્ટ દ્વારા આરોપીને સમન્સ કરી હાજર થવાનો હુકમ કરવામાં આવેલ. જેમાં આરોપી કોર્ટ સમક્ષ હાજર થયેલ અને સમાધાનની ખોટી વાતો કરી ફક્ત સમય પસાર કરેલ અને ત્યારબાદ ના. કોર્ટ સમક્ષ હાજર થયેલ નહીં જેથી ફરિયાદી તરફે કેસ આગળ ચલાવવાની અરજી કરતાં કેસ ચાલી જતાં આરોપીને કોર્ટ દ્વારા 1 વર્ષની સાદી કેદની સજા ભોગવવાનો તથા આરોપી મળી આવ્યેથી એક માસમાં ફરિયાદીને રકમ ચૂકવવાનો હુકમ કરવામાં આવેલ છે.
આ કેસમાં ફરિયાદી વતી પી. એમ. શાહ લો ફર્મના એડવોકેટ પિયુષભાઈ શાહ, અશ્વિનભાઈ ગોસાઈ, નીતેશભાઈ કથીરિયા, નિવિદભાઈ પારેખ, હર્ષિલભાઈ શાહ, જીતેન્દ્રભાઈ ધૂળકોટિયા, વિજયભાઈ પટગીર, ચિરાગભાઈ શાહ તથા આસિસ્ટન્ટ તરીકે રવિરાજભાઇ વાળા તથા ચિરાગભાઈ સંચાણિયા રોકાયેલા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy