રાજકોટ, તા.27
વાડીમાં ગાંજાનું વાવેતર કરતા ગાંજાના 48 કિલો 774 ગ્રામ જથ્થા સાથે પકડાયેલ આરોપી ધીરૂભાઈ ખોડાભાઈ તાવીયાને જામીન પર મુકત કરવા રાજકોટની સ્પે. કોર્ટે હુકમ કર્યો છે.
કેસની વિગત મુજબ રાજકોટ રૂરલ એસઓજીને બાતમી મળી હતી કે, વિંછીયા તાલુકાના પાટીયાળી ગામમાં ખેડૂત ધીરૂભાઈ તાવીયાએ પોતાની વાડીમાં ગાંજાનું વાવેતર કર્યું છે. દરોડો પાડી આરોપીને ઝડપી તા.6/12/2023 ના રોજ એન.ડી.પી.એસ. એકટની કલમ 8(સી), 20 (બી),ર(સી) મુજબ ગુનો નોંધવામાં આવેલો. આરોપીને જેલ હવાલે કરાતા આરોપી વતી રોકાયેલા એડવોકેટ ધ્વારા સેશન્સ કોર્ટમાં જામીન અરજી ગુજારવામાં આવતા તે જામીન અરજી નામંજુર થતા હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. આરોપીના વકીલની દલીલો અને રજુ રાખેલ વિવિધ કોર્ટના ચુકાદા, ટાંક્યા હતા. જે ધ્યાને લઈ હાઈકોર્ટે આરોપી ધીરુભાઈને જામીન પર મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો. આ કેસમાં આરોપી વતી એડવોકેટ રણજીત બી. મકવાણા (એડવોકેટ) જીજ્ઞેશ એમ.સભાડ (એડવોકેટ) તેમજ હાઈકોર્ટમાં એમ.એસ પાડલીયા રોકાયેલ હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy