માધવપુર ઘેડ તા.26
મહિલાઓ દ્વારા પીવાના પાણી માટે પૈસા ખર્ચી અને મીઠુ પાણી ખરીદવામાં આવે છે. વર્ષોથી માધવપુર (ઘેડ)ની આ સમસ્યા છે પરંતુ ગ્રામ પંચાયત અને સરકાર દ્વારા આજ સુધી કોઈ નિકાલ કરવામાં આવેલ નથી. આમ ગ્રામજનો અને મહિલાઓને પડતી મુશ્કેલીને ધ્યાને લઈ માધવપુરના લોકોને મીઠુ પાણી મળે અને ગ્રામજનોને મીઠુ પાણી વેચાતુ ન લેવુ પડે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
સરકાર દ્વારા માધવપુરને પ્રવાસન વિભાગ તરીકે જાહેર કરવામાં આવહેલ છે અને સરકાર દ્વારા મોટા મોટા પ્રોજેકટ પણ મંજુર કરવામાં આવેલ છે પરંતુ માધવપુરમાં નર્મદાનું પાણી છેલ્લા કેટલા સમયથી લાઈનો નંખાય છે પરંતુ પાણી આપવામાં આવતું નથી.
ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવતુ પાણી પીવાલાયક ન હોવાથી ન્હાવા અને સાફ સફાઈમાં લોકો ઉપયોગ કરી રહ્યા છે. માધવપુર ગ્રામવાસીઓને મીઠુ પાણી ટેન્કર અને છકડો રીક્ષા દ્વારા વેચાતુ મીઠુ પાણી મળે છે. પરંતુ ગ્રામ પંચાયત અને સરકારશ્રી ગ્રામજનોને વહેલી તકે મીઠુ પાણી પીવાલાયક મળે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
છેલ્લા ઘણા વરસો પહેલા નર્મદાનું પાણી સંગ્રહ કરવા માટે મોટો ટાંકો પણ બનાવવામાં આવેલ છે પરંતુ ગ્રામજનોને નર્મદાનું મીઠુ પાણી આજ દિવસ સુધી મળેલ ન હોય તેથી સ્થાનિક ગ્રામપંચાયત અથવા સરકારશ્રી દ્વારા વહેલી તકે આ સમસ્યાનો નિકાલ થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy