રાજકોટ,તા.29
લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતા જ જિલ્લા વહીવટી તંત્ર કાર્યક્રમ જાહેર થતા જ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આચાર સંહિતાનો ચૂસ્તપણે અમલ થાય તે માટે કવાયત શરૂ કરી દેવામાં આવેલ છે.
આ માટે જિલ્લા કલેકટર કચેરીમાં ધમધમતા કરાયેલા કન્ટ્રોલરૂમમાં છેલ્લા 13 દિવસમાં આચાર સંહિતા ભંગની 42 જેટલી ફરિયાદો નોંધાયેલ છે જેમાં ત્રણને ડોપ કરી તમામ ફરિયાદોનો નિકાલ કરવામાં આવેલ છે.
જેમાં સી.વીજીલ એપમાં અત્યાર સુધીમાં 30 ફરિયાદો નોંધાયેલ છે. તેમજ ફોન ઉપર રાજકીય પક્ષોના પ્રતિનિધિએ આચાર સંહિતા ભંગની નવ ફરિયાદ નોંધાવી છે. જયારે ત્રણ નાગરિકોએ આવી ફરિયાદ નોંધાવી છે.
કન્ટ્રોલરૂમના જણાવ્યા મુજબ ગોંડલમાં 7 જસદણ-જેતપુરમાં 1-1, રાજકોટ પુર્વ દક્ષિણમાં 3-3 અને રાજકોટ પશ્ચિમમાં 10 આચાર સંહિતા ભંગની 10 ફરિયાદો નોંધાવી છે. જેમાં ત્રણ ફરિયાદોને ડોપ કરી તમામ ફરિયાદોનો નિકાલ કરવામાં આવેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy