(મિલાપ રૂપારેલ દ્વારા) અમરેલી,તા.29 અરેલી લોકસભા બેઠકનાં ઉમેદવારનું નામ 4 દિવસ પહેલા જાહેર થયા બાદ ભાજપમાં સાપ સુંધી ગયો હોય તેવો માહોલ જોવા મળી રહૃાો છે અને ભાજપનાં કાર્યકરો અને આગેવાનોમાં ઉત્સાહનો માહોલ ગાયબ થયો હોય તેવા જ સમયે બે મહિના પહેલા અમરેલીમાં શરૂ થયેલ ભાજપનાં મઘ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો સંકેલો થતાં નવી ચર્ચાએ ગરમી પકડી છે. વિગત એવા પ્રકારની છે કે, અમરેલી ખાતે જિલ્લાનાં ટોચનાં આગેવાનોની ઉપસ્થિતિમાં ર3 જાન્યુઆરીનાં રોજ લોકસભા ચૂંટણીનાં મઘ્યસ્થ કાર્યાલયનો પ્રારંભકરવામાં આવ્યા બાદ છેલ્લા ર મહિનાથી કાર્યાલય ઉપર કાર્યકરોની અવરજવર નહીવત હતી. દરમિયાનમાં ગઈકાલે સાંજનાં અચાનક રીતે કાર્યાલયમાં લાગેલ મંડપ, બેનરો, પડદા દૂર કરવામાં આવતાં શહેરમાં નવી ચર્ચા શરૂ થઈ છે કે ભાજપનાં ઉમેદવારનાં નામની જાહેરાત થયા બાદ ભાજપનાં અમુક આગેવાનોમાં ઉભી થયેલ નારાજગીનો ભોગ ચૂંટણી કાર્યાલય બન્યું છે.જો કે ભાજપ કાર્યાલય તરફથી જણાવાયું છે કે, કાર્યાલયમાં નવી સુવિધા ઉભી કરવાની હોવાથી જુના પડદા, મંડપ દૂર કરવામાં આવ્યા છે. જો કે હકીકત એ છે કે ભાજપનાં ઉમેદવારના નામની જાહેરાત થયા બાદ જિલ્લાનાં ભાજપી આગેવાનો અને કાર્યકરોમાં સન્નાટો છવાયો હોય જુથબંધી હોવાનું સ્પષ્ટ સાબિત થતું જાય છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy