(કેશુભાઇ માવદીયા) માધવપુર, તા. 27
માધવપુર (ઘેડ) ગામે સરકારી જમીન ભુમાફીયાઓએ કબ્જે કરતા રેઢીયાળ પશુ અને પશુપાલકોના પશુઓને ઘાસચારો મળતો નથી. રેઢીયાળ ગાયો ભુખી-તરસી મોતને ભેટી રહી છે. ગામના સર્વે નં. 393 પૈકી 250 એકર 18 ગુંઠા જમીન ગોચરની છે તે ભુમાફીયાઓએ દબાવી છે. મધુવનની સર્વે નં. 822 પૈકીમાં વૃક્ષો કાપી જમીન દબાવી છે જેની ગ્રામ પંચાયતનાં સરપંચ સહિતના સભ્યોને જાણ હોવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. પરિણામે રેઢીયાળ ગાયો મોતને ભેંટી રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy