પાલીતાણા,તા.29
પાલીતાણા ના પ્રિન્સિપાલ સીનીયર સિવિલ જજ એન્ડ એડી. ચીફ જ્યુડી. મેજિસ્ટ્રેટ દ્વારા નગરપાલિકાની ગટર લાઇન ઉભરાતી હોય જે બાબતે નગરપાલિકા તથા કસ્તુર ધામ ધર્મશાળા ના મેનેજરને નોટિસ ફટકાવી કોર્ટમાં હાજર રહેવાનો તાકીદ કરી હતી. કોર્ટમાં બંને પક્ષની વાત સાંભળ્યા બાદ કોર્ટ દ્વારા કસ્તુર ધામ ધર્મશાળા ના મેનેજર વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું હતું.
આ મામલે નગરપાલિકાના સુપરવાઇઝર દીપક મહેતાએ ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે કસ્તુર ધામ ધર્મશાળા દ્વારા પાલીતાણા નગરપાલિકા તરફથી જોડાણ આપેલ છે તેની ધર્મશાળા ની ગટર લાઈન આ ગટર લાઈન સાથે જોડાયેલ છે પરંતુ આ ધર્મશાળામાં મેનેજર પોતાની બેદરકારીને કારણે આ ગટર લાઈન ઉપર સેપ્ટીક ટેન્ક કુંડી ન બનાવેલ હોવાથી અગાઉ સ્થળ ઉપર તપાસ કર નગરપાલિકા તથા વારંવાર નોટિસ આપી રૂબરૂમાં જાણ કરી રૂ.10000/- નો દંડ પણ કરવામાં આવેલ હતો. આ સેપ્ટીક કુંડી બનાવી નહીં હોવાથી વારંવાર ગટર ઉભરાઈ જતી હતી તેમજ ધર્મશાળા ની ભોજન શાળાની તપેલીઓ ચમચીઓ બાથરૂમનો મળ વગેરે બહાર આવતો હતો જેના કારણે રાહદારીઓને અને વાહન ચાલકોને ખૂબ જ તકલીફ પડતી હતી તેમ છતાં મેનેજરે આ વાત ધ્યાનમાં ન રાખવી બેદરકારી રાખી કોઈ યોગ્ય કાર્ય કરેલ નહીં જેના કારણે છેલ્લા ચાર પાંચ મહિનાથી વારંવાર ગટર ઉભરાઈ જવાના કારણે લોકોને તકલીફ પડતી હતી.
આ બાબતે પાલીતાણા ધર્મશાળા ના મેનેજર ભાવેશભાઈ સંઘવી સામે પોલીસ ફરિયાદ કરવાનું જણાવવામાં આવેલ હતું જેના અનુસંધાને નગરપાલિકા દ્વારા ધર્મશાળા ના મેનેજર સામે કલમ 268, 269, 270 મુજબ ધોરણ સરકારી ફરિયાદ નોંધાવી હતી અને પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવેલ હતા અને જામીન ઉપર છૂટકારો થયો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy