બોટાદ, તા. 28
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના કુંડલી ગામના રેલ્વે ફાટક પર ગઇકાલે મોડી રાત્રે માસુમ પુત્ર સાથે પિતાએ ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લેતા સમગ્ર જિલ્લામાં અરેરાટી પ્રસરી ગઇ છે. આ બનાવની જાણ થતા પોલીસ અને રેલ્વેની ટીમોએ દોડી બનાવના કારણ અંગે તપાસ શરૂ કરી છે.
આ કરૂણ ઘટનાની વિગત મુજબ બોટાદના રાણપુર તાલુકાના કુંડલી ગામ પાસે આવેલ રેલવે ફાટક નજીક ગઈકાલે રાત્રીના ટ્રેન નીચે પડતું મુકી પિતા-પુત્રએ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી હતી. રાણપુર તાલુકાના ધારપીપળા ગામના હરસુખ પ્રભુભાઈ સાંકળીયાએ તેના પુત્ર કુલદીપ સાથે કુંડલી ગામ પાસે આવેલ રેલવે ફાટક નજીક બોટાદથી સુરેન્દ્રનગર તરફ જતી ટ્રેન નીચે પડતું મુકી જિંદગી ટુકાવી નાંખી હતી.
આ બનાવ બનતા લોકોના ટોળે ટોળા દોડી આવ્યા હતા. જ્યારે ઘટનાની જાણ થતા પોલીસ અને રેલવેના આધિકારીઓ પણ તુરંત ઘટના સ્થળે દોડી આવ્યા અને આગળની તપાસ હાથ ધરી હતી. પિતાએ તેના માસુમ પુત્ર સાથે ક્યા કારણોસર ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કર્યું જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. પિતા-પુત્રના આપઘાતને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
માસુમ બાળકને સાથે રાખીને પિતાએ કરેલા આપઘાતના બનાવનું કોઇ પ્રાથમિક કારણ આજે સવાર સુધી પોલીસને જાણવા મળ્યું નથી. આથી ઉંડી તપાસ શરૂ કરવામાં આવી છે. વધુ વિગતો મેળવવામાં આવી રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy