વેરાવળ,તા.29
વેરાવળ હાલાઇ લોહાણા મહાજન દ્વારા જ્ઞાતિ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથાનું આયોજન આગામી તા.9 થી 16 એપ્રીલ દરમ્યાન કરવામાં આવેલ છે. આ ધાર્મીક કાર્યમાં 28 પોથી નોંધાયેલ છે અને દરેક પ્રસંગોની ધામધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે. આ પ્રસંગોમાં સર્વે ધર્મપ્રેમી જનતાને જોડાવા અનુરોધ કરેલ છે.
વેરાવળ હાલાઇ લોહાણા મહાજન વાડી ખાતે યોજાનાર શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના પ્રારંભે તા.9 ના મંગળવારે બપોરે બે કલાકે પોથીયાત્રા સુભાષ રોડ ઉપર આવેલ શ્રી દ્રારકાધીશજી હવેલી ખાતેથી નીકળનાર છે. આ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં માળીયા વાળા શાસ્ત્રી કેતનભાઇ પેરાણી બપોરે સાડા ત્રણ થી સાંજે સાત કલાક સુધી સંગીત સાથે રસપાન કરાવનાર છે.
આ ભાગવત સપ્તાહમાં તા.11 ના ગુરૂવારે સાંજે સાડા છ કલાકે શિવવિવાહ, તા.12 ના શુક્રવારે સાંજે સાડા છ કલાકે નરસિંહ જન્મ, તા.13 ના શનિવારે સાંજે ચાર કલાકે વામન જન્મ તથા સાંજે પાંચ કલાકે શ્રીરામ જન્મ અને સાંજે સાડા છ કલાકે શ્રી કૃષ્ણ જન્મ ઉત્સવ, તા.14 ના રવિવારે સાંજે સાડા છ કલાકે શ્રી ગીરીરાજ ઉત્સવ-અન્નકોટ, તા.15 ના સોમવારે સાંજે છ થી આઠ કલાકે રૂક્ષ્મણી વિવાહ, તા.16 ના મંગળવારે સવારે સાડા અગીયાર કલાકે સુદારા ચરીત્ર સાથે કથા વિરામ થનાર છે. વેરાવળ હાલાઇ લોહાણા મહાજન આયોજીત આ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના ધાર્મીક કાર્યક્રમને સફળ બનાવવા મહાજન પ્રમુખ વિક્રમભાઇ તન્ના, ઉપપ્રમુખ મુકેશભાઇ રૂપારેલીયા સહીત કારોબારી સભ્યો, યુવાનો જહેમત ઉઠાવી રહેલ છે.
આ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં 28 પોથી નોંધાયેલ હોય જેમાં મુખ્ય યજમાન સ્વ.નૌતમલાલ રૂગનાથ રાચ્છ પરીવાર રહેલ છે ત્યારે ભાગવત પુરાણના આ વિલક્ષણ ચરિત્રનું રસપાન કરી ભકિતરસનો આસ્વાદ માણીને કૃતાર્થ બનવા શ્રી હાલાઇ લોહાણા મહાજન દ્વારા અનુરોધ કરેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy