(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.27
સુરેન્દ્રનગર શહેરના વતની અને આમ જોવા જઈએ તો ગંજેડા ગામના વતની અને છેલ્લા કેટલાક સમય સુધી પોલીસ ખાતામાં ફરજ બજાવી અને નિવૃત્ત થયેલા ચંદ્રકાંતભાઈ મહેતા ની પુત્રી હિરલબેન નું અચાનક દુ:ખદ અવસાન થતા મહેતા પરિવારમાં દુ:ખ ની લાગણી છવાઈ જવા પામી હતી ત્યારે સુરેન્દ્રનગર શહેરના રહેવાસી અને હાલમાં ગાંધીનગર ખાતે દૂરદર્શનમાં ફરજ બજાવતા દુર્ગેશભાઈ મહેતાના સગા બહેન હિરલબેન નું 25 3 ના રોજ ગાંધીનગર મુકામે દુ:ખદ અવસાન થતા પરિવારમાં પણ શોકની લાગણી છવાઈ જવા પામી હતી જ્યારે હિરલબેન ની સ્મશાનયાત્રામાં ગાંધીનગરના પત્રકાર મિત્રો તેમજ રાજકીય આગેવાનો અને દુર્ગેશભાઈ મહેતા ના સ્નેહીજનો સ્મશાન યાત્રામાં જોડાયા હતા .
જ્યારે પરિવારમાં પિતાશ્રી ચંદ્રકાંતભાઈ મહેતા દુર્ગેશભાઈ મહેતા દુરદર્શન પત્રકાર નિખિલભાઇ મહેતા લાલાભાઇ ભટ્ટ અને રાકેશભાઈ ભટ્ટ સહિતના બોહરા પરિવારને વિલાપ કરતા છોડી ગયા છે જ્યારે તેમનું બેસણું 31 3 ને રવિવારના રોજ સવારના 09:00 થી 12:00 વાગ્યા દરમિયાન બી 202 સાર્થક સ્કૂલ શાંતિવન સોસાયટી પાછળ કરોડ વાવોલ ગાંધીનગર મુકામે રાખવામાં આવ્યું હોવાનું હાલમાં મહેતા પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે જ્યારે હિરલબેન ના દુ:ખદ અવસાનથી મહેતા પરિવારમાં ભારે દુ:ખની લાગણી છવાઈ જવા પામી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy