ઉના,તા.29 જંગલ વિસ્તારના બોર્ડર ઉપર આવેલા ગામો અને ખેડૂતોના વન વિભાગના વિવિધ પ્રશ્નો અને માંગને લઈને ગીર ગઢડા ખાતે જામવાળા રોડ ઉપર ફરેડા ગામનાં જેઠાભાઈ બારૈયા તેમજ અન્ય લોકો તા.23-03-2024 થી ઉપવાસ આંદોલન ઉપર બેસ્યા છે. ઉપવાસ આંદોલનનો આજે છઠ્ઠો દિવસ.આજ સુધી એકપણ અધિકારી કે રાજકીય આગેવાન તેમના પ્રશ્નોને લઈને તેમના ખબર પૂછવા આવેલ નથી. ગઈ કાલે માત્ર આરોગ્ય વિભાગે તેમની લોહી ની તપાસ કરી સંતોષ માન્યો..જંગલ ખાતા દ્વારા જંગલ બોર્ડર ઉપર આવેલા ખેડૂતો અને માલધારી ને યેનકેન પ્રકારે વન વિભાગ દ્વારા હેરાન કરવામાં આવતા હોય અને ખોટા કેસ કરીને દંડ વસૂલ કરવામાં આવતા હોય તેવા આક્ષેપો સાથે જાંખીયા અને ફરેડા ગામના લોકો આ ઉપવાસ આંદોલન માં શરૂ કર્યું છે. ફરેડા જાખીયા ગામનાં માજી સરપંચ જેઠાભાઈ રામભાઈ બારૈયા,વિરાભાઈ સાદુળભાઈ, પુનાભાઈ બાબુભાઈ, જીલુભાઈ વિસાભાઈ, કેશુભાઈ રામજીભાઈ, રાજુભાઇ ધેલાભાઈ સહિતના અગ્રણી આગેવાનો સહિત ગ્રામજનો દ્વારા ગીરગઢડા ફરેડા રોડ પર ઉપવાસ છાવણી ઊભી કરીને જંગલ ખાતાની હેરાનગતિ સામે તા.23-3-2024 ના રોજ આંદોલન છેડતા ગીરગઢડા પોલીસ ધટના સ્થળે દોડી ગયેલ અને આ આંદોલન સરકારના જવાબદાર વિભાગની પરવાનગી વગર નહીં બેસવા સુચના આપી સમજાવટ કરેલ પરંતુ ઉપવાસ કર્તાના જણાવ્યા મુજબ પોતાએ વન્ય વિભાગની હેરાનગતિ સામે આંદોલન છાવણી અંગે બેસવા મંજુરી આપવાની કાર્યવાહી કરવા છતાં કોઈ જવાબ નહીં મળતાં આંદોલન શરૂ કરવાની ફરજ પડી હોવાનું જણાવ્યું હતું. ઉપવાસ ઉપર બેસેલા માજીસરપંચ જેઠાભાઈ બારૈયાએ જણાવેલ કે આજ સુધી અહી કોઈ ખબર પૂછવા નથી આવ્યું. તેમજ તેમના પ્રશ્નો અંગે વાત કરતા જણાવેલ કે જંગલ ના અંદર આવેલ પૌરાણિક મંદિરો કે જ્યાં વર્ષો થી લોકો રાત્રિ રોકાણ કરતાં અને ત્યાં પુજારી કાયમી વસવાટ કરતાં હાલ વન અધિકારીઓ એક વર્ષ થી ત્યાં આ ધાર્મિક મંદિરો ઉપર રાત્રિ રોકાણ કરવા દેવામાં આવે તેવી માંગ કરી તેમજ આ સાથે અન્ય બીજા પ્રશ્ર્નોે અને માંગ પૂરી નહિ કરવામાં આવે ત્યાં સુધી આ ઉપવાસ આંદોલન ઉપર બેસી રહેવાનું જણાવ્યું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy