શાળા નં-18 જામનગર ખાતે
વિશ્વ ચકલી દિવસ નિમિત્તે દુનિયાભરમાં પોતાના મધુર અવાજ અને સુંદર રંગથી મન મોહી લેતી ચકલીઓ અને અન્ય પક્ષીઓ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે પક્ષી પ્રેમી પ્રફુલ્લભાઇ સુરેલિયા દ્વારા "ચકલી બચાવો અભિયાન" અન્વયે નિ:શુલ્ક ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું. પ્રકૃતિ તેના સૌંદર્યથી શોભે છે તેને નાશ કરવાનો આપણો કોઈ અધિકાર નથી, ત્યારે પર્યાવરણની જાળવણી અર્થે લુપ્ત થતી પ્રજાતિ ચકલીના માળાનું વિનામૂલ્યે વિતરણ કરી પક્ષી પ્રેમી પ્રફુલ્લભાઇ સુરેલિયા દ્વારા દ્વારા પ્રકૃતિનું જતન કરવા ઉત્તમ કાર્ય કરી રહ્યા છે. 20મી માર્ચ સમગ્ર દુનિયામાં જાફિજ્ઞિૂ ઉફુ તરીકે ઉજવવામાં આવે છે.
આપણને એમ થાય કે ભલા ચકલાના તે કાંય દિવસ ઉજવવાના હોય ? ચકલીમાં તે વળી નવું શું છે? નાનપણમાં કદાચ સૌથી પહેલાં જોયેલું, ઓળખેલું એકદમ જાણીતું પંખી એટલે ચકલી. હજુ બરાબર બોલવાનું પણ ન શીખેલા બાળકને પૂછીએ કે ‘ચકી કેમ બોલે?’ તો તરત કહેશે- ‘ચીંચીં..’ ચકલાં, ચકલી, ચકીબેન કે ‘હાઉસ સ્પેરો’ એ ફક્ત આપણાં દેશનું જ નહીં પણ વિશ્વભરમાં સૌથી વધુ જોવા મળતું અને માનવ વસ્તી સાથે હળી-ભળી ગયેલું સૌથી સામાન્ય પક્ષી છે.
એક સમયે વિશ્વનું સૌથી સામાન્ય અને ટોળાબંધ જોવા મળતું આ નાનકડું પંખી આજે જીવન સંઘર્ષ માટે ઝઝુમી રહ્યું છે અને કમનસીબે હારી રહ્યું છે ! વિશ્વભરમાં અને ખાસ કરીને ભારતમાં પણ ચકલીઓની સંખ્યા ખૂબ ઝડપથી ઘટી રહી છે. જો તેમને બચાવવા માટે માનવ જાત કંઈ નહીં કરે તો આ ચકલીઓ ખૂબ ઝડપથી હમેશાને માટે લુપ્ત થઈ જશે ! શાળા પરિવાર પક્ષી પ્રેમી શ્રી પ્રફુલ્લભાઇ સુરેલિયા દ્વારા દ્વારા પ્રકૃતિનું જતન કરવા ઉત્તમ કાર્ય કરી રહ્યા છે તે બદલ તેમને ધન્યવાદ આપ્યા હતાં અને વિધાર્થીઓને ચકલીના માળા બનાવીને પોતાના ઘરે રાખવા પ્રોત્સાહિત કર્યા હતાં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy