(સાગર સોલંકી/ધર્મેન્દ્ર બાબરીયા) ધોરાજી તા.29
ઉપલેટાના ખૂન કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો થવા પામેલ છે.
આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે ઉપલેટા શહેરમાં વર્ષ 2021માં સોમાભાઈ મેપાભાઈ વિંઝુડા નામના વ્યકિતએ ઉપલેટાના નારણભાઈ ઉર્ફે નાયો પોલાભાઈ ઘુલ વિરૂધ્ધ અવી ફરીયાદ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ કે, ફરીયાદીના ભાઈ માધવજીભાઈ ઉર્ફે માધાભાઈ મેપાભાઈ વિંઝુડા ઉપલેટા મેળાનાં મેદાન નજીક આવેલ સોમનાથ મંદિરના બાકડા ઉપર બેઠા હતા. ત્યારે આરોપી નારણભાઈ પોલાભાઈ ઘુલે જમવા બાબતે તેની સાથે બોલાચાલી કરી માથાના ભાગે તથા પેટનાં ભાગે માર મારી ગંભીર ઈજાઓ કરી મોત નીપજાવેલ અને ત્યાં રમતા બે છોકરાઓએ આ બનાવ નજરે જોયાનું નિવેદન પોલીસ રૂબરૂ આપેલ અને પોલીસે તપાસ કરી મામલતદાર ઉપલેટા રૂબરૂ આરોપીની ઓળખ પરેડ કરાવી તેમજ વૈજ્ઞાનિક રીતે પણ તપાસ કરાવી ઉપલેટા પોલીસે આરોપી વિરૂધ્ધ ધોરાજી સેશન્સ કોર્ટમાં ચાર્જસીટ કરેલ.
જે કેશ ધોરાજી સેશન્સ કોર્ટમાં ચાલવા પર આવતા આરોપી તરફે તાલુકા કાનુની સેવા સમિતિ ધોરાજી તરફથી એડવોકેટ સંજયકુમાર પી. વાઢેરની નિમણુંક કરાયેલી અને તમામ સાક્ષીઓનાં પુરાવા અને લંબાણપૂર્વકની દલીલો સંજયકુમાર પી. વાઢેર દ્વારા અદાલત સમક્ષ રજુ કરાયેલી. જે તમામ ધ્યાને લઈ ધોરાજીનાં એડિશ્નલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ શેખે આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવા હુકમ તા.28/3ના રોજ ફરમાવેલ છે. આ કામમાં આરોપીનાં એડવોકેટ તરીકે તાલુકા કાનુની સેવા સમિતિ ધોરાજીના એડવોકેટ સંજયકુમાર પી. વાઢેર રોકાયેલ હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy